SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રયને સ્વીકારીને રહ્યો છે તેનાથી આપ આંતરો રાખો છો તો શું છે છે તે આપને બરાબર લાગે છે ? તે બરાબર નથી. આપ તેને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવીને આપે ચાખેલ શુદ્ધ શાંત રસનું પાન કરી શકે તેમ કરો. મેં તુજ કારણ સ્વામી ઉવેખ્યા સુર ઘણા લલના, માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા લલના, તો તમે મુજથી કેમ અપૂઠા થઈ રહો લલના, ચૂક હોવે જે કાંઈ સુખે મુખથી કહો લલના. - ૨ ' હે ભગવાન! આપની પાસેથી મુક્તિપદ પ્રાપ્ત કરવાને માટે અન્ય દર્શનના દેવોની પણ ઉપેક્ષા કરી આપની પાસેથી મારા કાર્યની સિદ્ધિ થાય તે માટે કોઈ જાતની કચાશ રાખી નથી, તે છતાં આપ મારાથી પ્રતિકૂળ બનીને કેમ વર્તો છો ? આપની ભક્તિ કરવામાં જે મારાથી કોઈ ભૂલ થતી હોય તો આપના સ્વમુખે બોલીને મને સુખપૂર્વક કહી ; શકો છો. તુજથી અવર ન કોય અધિક જગતી તળે લલના, જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે લલના, દીએ દરશન વાર ઘણી ન લગાવીએ લલના, વાતલડી અતિ મીઠી તે કીમ વિરમાવીએ લલના.... ૩ હે પ્રભુ ! આપનાથી અધિક કોઈ ત્રણે જગતમાં નથી કારણ $ આપે સંપૂર્ણપણે બધા જ દોષોને દૂર કરી નાખ્યા છે, બાળી નાખ્યા છે અને સંપૂર્ણપણે ગુણોનો ભંડારનાં સ્વામી થઈને બેઠા છો તેથી હું હું મારી ચિત્તની સંપૂર્ણ વૃત્તિઓ આપની સાથે એકરૂપ થઈ છે માટે છે હવે હે પ્રભુ ! દર્શન દેવામાં ઘણીવાર લગાડશો નહિ. આવી મોક્ષની હું મીઠી વાતો કેમ છોડી દઈ શકીએ ? ૨૦૬ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy