SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ હું મારું મન ચપળ હોવા છતાં આપના મુખ પર સ્થિર થઈ ગયું છે. વળી ? શું આપની આંખો પણ કામણ કરનારી છે એટલે કે આપે આપની આંખ દ્વારા મને વશ કરી લીધો છે. વળી મારા લંપટ થયેલા નેત્રો ક્ષણે ક્ષણે આપના મુખને જોવા છતાં થાકતાં જ નથી. આપના રૂપમાં રાચ્યા હોવા છતાં તે નયનો આપનું રૂપ જોતાં ધરાતાં જ નથી. હાં રે પ્રભુ અલગ તો પણ જાણજો કરીને હજૂર જો, તાહરી રે બલીહારી હું જાઉં વારણે રે લો; હાં રે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરૂઆથી મન આણી ઉલટ અતિ ઘણો રે લો. ૭ હે ભગવાન ! આપ મોક્ષમાં પધારી ગયેલ હોવાથી મારાથી સાત છે રાજલોક દૂર જઇને બેઠા છો. છતાં પણ આપનો આ ભક્ત આપની હજૂરમાં જ વિનંતી કરી રહ્યો છે તેમ જાણજો. આપના ગુણો જાણવાથી હું આપના ઓવારણાં લઉં છું. શ્રી મોહનવિજયજી કહે છે કે ગિરુઆ કહેતા અનંત ગુણથી ભરેલા એવા આપને વિનંતી ઘણા ઉમંગથી કરું હું છું માટે મારી વિનંતી ધ્યાનમાં લઈ મને આ સંસાર સમુદ્રમાંથી ઉગારો. ૧૬. શ્રી શાંતિનાથ સ્તવન સોળમા શ્રી જિનરાજ ઓળગ સુણો અમતણી લલના; ભગતથી એવડી કેમ કરો છો ભોળામણી લલના; ચરણે વળગ્યો જેહ આવીને થઈ ખરો લલના. નિપટ તેહથી કોણ રાખે રસ આંતરો લલના. ૧ હે જિનેશ્વર ! આપને વારંવાર વિનંતિ કરીએ છીએ છતાં કાંઈ હું પણ વસ્તુ આપતા નથી અને આપની ભક્તિ કરનારને આપ ભોળવવાનું કામ કરો છો અને મોટા મોટા દિલાસા કે લાંબા લાંબા વાયદા આપ્યા કરો છો. જે સાચા મનથી વિનંતી કરે છે અને આપના શ્રી મોહનવિજયજી કત ચોવીસી ૨૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy