SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પલ્લવ ગ્રહી રઢ લેઇશું, નહિ મેળો હો જ્યારે તમે મીટ; આતમ અવરેજો થઈ, કિમ ઉવેટ હો કરારી છીટ.. અ. ૫ હે પ્રભુ! જ્યારે તમે અમારી સાથે આપની નજર નહીં મેળવો તો આપનો પલ્લવ પકડીને અમે આપની સામે હઠ પકડીને બેસી જઇશું કારણ અમે આપની ભક્તિ રંગની એવી કળા તૈયાર કરી છે કે તે રંગના ઉપાયથી અમારું કાર્ય સિદ્ધ થશે. જેમ પાકા રંગની છીંટમાં મળી ગયેલો રંગ જેમ ઉપટી જતો (ઉડી જતો) નથી તેવો જ અમારો ભક્તિરંગ પાકો થયો છે તેથી અમારો આપના ઉપરનો ભક્તિરંગ ઉતરી જશે નહીં. નાયક નિજ નિવાજીએ, હવે લાજીએ હો કરતાં રસલૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ... અ. ૭ હે અનંતનાથ ભગવાન ! આપના ભક્તને આપના દર્શન આપીને સંતોષ આપવો જોઇએ. કારણ કે અમારો ભક્તિરંગ આપના જાણવામાં છે તેથી હવે વળી આપનો જે અખૂટ આત્મલક્ષ્મી રૂ૫ ખજાનો છે તેમાંથી અમને અધ્યાત્મપદ આપવા જતાં કાંઈ ખોટ પડી જશે એમ નથી. જિમ તુમે તર્યા તેમ તારજો, શું બેસે હો તુમને કાંઈ દામ? નહીં તારો તો મુજને, કિમ તુમચું હો તારક કહેશો નામ. અ. ૭ હે જિનેશ્વર ! આપ જે માર્ગનું આરાધન કરીને સંસાર સમુદ્ર તરી ગયા છો તે રીત અમને બતાવવામાં, તેના માટે આપને કાંઈ દામ કું (લક્ષ્મી) ખર્ચવી પડે તેમ નથી. વળી આપ તિજ્ઞાણે, તારયાણું કહેવાઓ છો તો પછી જો આપ તર્યા અને મને નહીં તારો તો આપની જે પદવી છે ; સંસાર સમુદ્રમાંથી તારનારની છે તેને અનુલક્ષીને “તારક” કેવી રીતે હું શું કહેવાશો ? માટે આપનું વિશેષણ કાયમ રાખવા માટે મને આ શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy