SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ભવભ્રમણમાંથી તરવાનો માર્ગ આપો. શું હું તો જિન રૂપસ્થથી, રહું હોઈ તો અહર્નિશ અનુકૂળ; ચરણ તજી જઇએ કિહાં ? છે માહરી હો વાતલડીનો મૂલ. એ. ૮ $ ' હે ભગવાન ! આપની શાંતિ સુધારસ ઝીલતી એવી મુદ્રાનું ધ્યાન ! કરીને આપનું રૂપસ્થ ધ્યાન ધરીને આપને સતત અનુકૂળ રહેવાનો પ્રયત્ન કરું છું હવે મારી મૂળ વાત ગુપ્ત વાતના આપ જ મૂળ હોઈ ! આપના ચરણનો આશ્રય તજીને કયાં જઇએ ? - અષ્ટાપદ પદ કીમ કરે, અન્ય તીરથ હો જાશે જેમ હેડ; મોહન કહે કવિ રૂપનો, વિના ઉપશમ હો નવિ મૂકું કેડ. અ. ૯ 3 તે પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વતની યાત્રા કરનાર આત્મા તે જ ભવમાં મુક્તિને મેળવે છે એટલે અહીં શ્રી મોહનવિજયજી ભગવાનને અષ્ટાપદનું રૂપક આપીને કહે છે કે આપ વિલંબ કેમ કરો છો, જો વિલંબ કરશો તો બીજા તીર્થે હારની હાર લાગી જશે. માટે મોક્ષપદ આપવામાં વિલંબ ન કરો. વળી હું આપની પાસેથી “ઉપશમ” (ગુરુગમ) મેળવ્યા વગર આપને છોડવાનો નથી. કારણ મળે તો જ મારો સંસાર પરિત થઈ શકે છે તેની મને જાણ થઈ છે. ૧૫. શ્રી ધર્મનાથ સ્તવન હાં રે મારે ધર્મ નિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લોલ; હાં રે મુને થાશે કોઇક સમયે પ્રભુ પ્રસન્ન જો, વાતલડી માહરી રે સવિ થાશે વગેરે લો... ૧ મને ધર્મનાથ જિનેશ્વર પ્રત્યે સંપૂર્ણ પ્રશસ્ત પ્રીતિ થઈ છે અને તેથી ૨૦૨ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy