SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણે તેહને વિલગીએ રે, જિનજી, જેહથી સીઝે કામ; દિ. . ફોગટ શું ફેરો તિહાં રે, જિનજી, પૂછે નહીં પણ નામ દિ. ૪ તેના જ ચરણમાં, આશ્રમમાં રહેવાનું કરવું જોઇએ કે જેના આશ્રમમાં રહેવાથી કાર્ય સિદ્ધ થાય.જ્યાં કોઈ નામ પણ પૂછનાર ન હોય, ખબર લેનાર ન હોય ત્યાંનો ફોગટ ફેરો શા માટે કરવો જોઇએ? શું કરવો? કે કૂડો કલિયુગ છોડીને રે જિનજી, આપ રહ્યા એકાંત, દિ. આપોપું રાખે ઘણા રે જિનજી, પર રાખે તે સંત દિ. ૫ હે પ્રભુ! આપને કૂડો કળિયુગ ગમ્યો નહીં અને તેથી તેને છોડી દઇને આપ એકાંત સ્થાનરૂપ મુક્તિમાં વસ્યા. જે પોતાનું જ સાચવે, $ બીજાને પણ સાચવે તેને હે ભગવાન ! સંત કહેવાય છે. જે પરની છે ચિંતા કરી પરને પણ સાચવે એટલે કે સંસાર પરિભ્રમણથી અટકાવે. હું માટે મારી અરજી ધ્યાનમાં લઈ મને પણ આપના જેવો બનાવો. દેવ ઘણા મેં દેખીયા રે જિનજી, આડબર પટરાય; દિ. નિગમ નહિ પણ સોડથી રે જિનજી, આઘા પસારે પાય દિ. ૩ ખોટા આડંબરવાળા દેવો મેં ઘણા જોયા છે કે જેઓ પોતાને સૂવા માટેનો માર્ગ થોડો હોય અને ઘણાને તે જગ્યામાં સૂવાનું હોય તેનો વિચાર કર્યા વગર પોતાને માટે વધારે જગ્યાનો ઉપભોગ કરવા માટે પગને આઘા પસારી જગ્યાનો ઉપભોગ કરે. સેવકને જો નિવાજીએ રે જિનજી, તો તિહાં સ્થાને જાય, દિ. નિપટ નીરાગી હોવતાં રે જિનજી, સ્વામીપણું કિમ થાય દિ. ૭. . જો સેવકને સેવા આપવારૂપ કરુણા દૃષ્ટિ કરીને આપ અભેદ ભાવે રહો તો સેવક આનંદ પામે અને તે સ્થાનને પ્રાપ્ત થાય. પણ જો તે હું પ્રભુ ! મારા પર આપ નિરાગી થઇને કરુણાદૃષ્ટિ કે સેવા ન આપો તો ૧૯૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy