SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તમારું સ્વામીપણું કેવી રીતે થાય ? મેં તો તુમને આદર્યો રે જિનજી, ભાવે તું જાણ મ જાણ, દિ. રૂપવિજય કવિરાયનો રે જિનજી, મોહન વચન પ્રમાણ, દિ. ૮ મેં તો આપને ભાવપૂર્વક પૂજ્યા છે ભલે આપ મારી સેવાની કદર કરો કે ન કરો તો પણ હે પ્રભુ ! આપનું વચન સંપૂર્ણ પ્રમાણભૂત છે એમ પંડિત રૂપવિજયજીના મોહનવિજયજી કહે છે. ન ++ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્તવન પ્રભુજીશું લાગી હો પૂરણ પ્રીતડી, જીવન પ્રાણ-આધાર; ગિરુઆ જિનજી હો રાજ ! સાહિબ સુણજો હો માહરી વિનંતિ, દરિસણ દેજો હો, દિલભરી શ્યામજી, અહો ! જગગુરુ સિરદાર ગિ સા. ૧ હે વાસુપૂજ્ય સ્વામી ! તમારી સાથે મને પૂર્ણ પ્રીતિ થઈ છે તેમજ મારા જીવનના આપ પ્રાણભૂત છો, તેમજ ગુણોમાં મોટા છો, તેથી આપને વિનંતી કરું છું કે આપ મને દર્શન આપો એટલે કે મને આત્મજ્ઞાન રૂપી દર્શન આપો. હે સાહેબ ! જગતના ગુરુ મારા શિરતાજ મારી દિલભરી વિનંતી સ્વીકારીને દર્શન આપજો. ચાહીને દીજે હો ચરણની ચાકરી, ઘો અનુભવ અમ સાજ; ગિ. ઇમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો,કાંઈ સેવકને શિવરાજ. ગિ. સા. ૨ હે પ્રભુ ! આપના ચરણકમળની સેવા મારા પર કરુણા કરીને આપશો અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરવા માટે જે અનુભવ જોઇએ તે આપજો. તમે એમ ન કહેતાં કે મોક્ષની શું જરૂર છે ? આપે પણ પહેલાં મારી જેમ મોક્ષની ઇચ્છા કરી મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તેવી જ રીતે આ સેવકને પણ મોક્ષનું રાજ પ્રાપ્ત થાય એમ ક૨વા વિનંતી છે. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૧૯૫ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy