SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો અંતરાત્મા કહેવાય છે. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની. ૪ અર્થ: જે આત્માઓ સમ્યકજ્ઞાનના આનંદમાં પૂર્ણ રીતે પવિત્ર ! $ થયેલા છે અને દ્રવ્યની – આ સંસારની બધી ઉપાધિ જેણે છોડી દીધેલ છે અને જે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી પર, ગુણના સમૂહરૂપ મણીની ખાણ જેવા છે. એ આત્માઓ પરમાત્મા કહેવાય છે એમ જાણીને એવું પરમાત્મપણું તું સાધ. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. ૫ છું અર્થ : ઉપરની વ્યાખ્યામાં બતાવ્યા અનુસાર દેહાદિથી પ્રહાયેલો આત્મા છે, તે બહિરાત્મપણું તજીને પોતાના ગુણ અને લક્ષણથી છે અંતરાત્મારૂપ થઈ જાય. અને પોતાનો સ્થિરભાવ પ્રગટાવીને, ભગવાનપરમાત્માનું ભાવન કરીને આત્મામાં ભાવથી લીન થાય તો એ આત્મા અર્પણનો ઉપાય છે. આતમઅર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ, સુજ્ઞાની. હું તે અર્થ : જ્યાં “આત્મ અર્પણતા” શું વસ્તુ છે એનો વિચાર કરીએ છું ત્યાં જ ભ્રમ, મિથ્યાત્વ અને મતિના દોષ ટળી જાય અને પછી (શું થાય ?) આપણા ભગવાન આત્માનો પોતાનો ખજાનો જે પરમ છે પદાર્થ છે તે પ્રાપ્ત થાય. અને તેથી તે રસના પોષણવાળો આનંદનો જ ઘન એટલે આનંદનો રાશી ભોગવી શકીએ. જ શ્રી આનંદઘનજીની ચોવીસી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy