SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શું અર્થ: હે ભગવાન ! મને જો આપના દર્શન (સમ્યગ્દર્શન) થાય તો પછી મને મરણ અને જીવનનો ત્રાસ કોઈ દિવસ આવે નહિ. પ્રભુ શું ! આપનું દર્શન બહુ દુર્લભ છે. છતાં આપની કૃપાથી એ સુલભ થાય શું છે એમ આનંદઘનજી મહારાજ સાહેબ કહે છે. ૫. શ્રી સુમતિનાથ સ્વામી , સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિતર પણ બહુ સંમત જાણીએ, પરિસરપણ સુવિચાર, સુજ્ઞાની. ૧ શું અર્થ : હે સુજ્ઞાની ! ભગવાનના ચરણકમળમાં હું આત્મા અર્પણ કરું છું. કેમ કે મારી ઇચ્છા તેમના જેવી શુદ્ધ દર્પણ જેવી અવિકારી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. તેમ થવાને માટે બુદ્ધિનું તર્પણ થવું જોઈએ. હું હું એમ બધાએ સંમત કર્યું છે અને એ વિચારમાં પ્રવેશરૂપ છે, એમ શું જાણવું. ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ, સુશાની; બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. ૨ અર્થ : આ સંસારના બધા મનુષ્યો – દેહધારી આત્માઓ ત્રણ શું પ્રકારના ભેદે છે. પ્રથમ પ્રકાર બહિરાત્માનો છે. બીજો ભેદ અંતરાત્માવાળા જીવોનો છે અને ત્રીજો પ્રકાર અખંડ જ્ઞાની એવા પરમાત્માનો છે. આતમબુદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અધરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુવાની. ૩ ? અર્થ જે આત્માઓએ પોતાનો દેહ છે એ જ પોતે છે એમ ગ્રહણ શું કર્યું છે. તેઓ બહિરાત્મા પાપરૂપ છે. જે જીવો આ કાયા એટલે કે ત્રણેય હું પ્રકારના દેહ, તેમજ કુટુંબ ધન આદિના માત્ર સાક્ષી બની રહે છે એવા વીર-રાજપથદર્શિની - ૨ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy