SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિશેષ દર્શન જોઈએ છે. પરંતુ હે ભગવાન ! અંધ માણસ હોય અને ૬ વળી દારૂ પીને મસ્ત બનેલો હોય તેવો માણસ સૂર્ય અને ચંદ્રનું વર્ણન હું કેવી રીતે કરી શકે? એટલે કે આ ચંદ્ર અને આ સૂર્ય એમ કેવી રીતે જાણી કે વર્ણવી શકે ? હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ. ૩ અર્થ : હેતુના વિવાદમાં ચિત્ત પરોવીને સમજવા જતાં આપનો હું નયવાદ અતિ દુર્ઘટ છે. આગમમાંથી બધું સમજી શકાય તેમ છે પણ આગમ સમજવા માટે ગુરુગમ નથી, આવો બધો વિખવાદ છે. તેમાં તારું દર્શન કેવી રીતે થાય ? ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, મેંગે? કોઈ ન સાથ. ૪ અર્થ ઃ હે જિનેશ્વર ભગવાન ! હે જગતના નાથ ! ઘાત કરે તેવા હું ઘણા ઘણા ડુંગર આપના દર્શન કરવાના માર્ગમાં આડા આવે છે. અને જો હઠ કરીને આપના દર્શન કરવાના માર્ગે ચાલું તો તે માર્ગના હું જાણકાર એવા કોઈ ભોમિયાનો સાથ નથી ! ત્યારે હવે શું કરવું? દરિશણ દરિશણ રટતો જો ફરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની કિમ ભાંજે વિષપાન.૫ અર્થ : હે પરમાત્મા ! તારું દર્શન, તારું દર્શન એમ રટણ કરતો કરતો જો આમતેમ ફરું તો રણમાં રખડતા તરસ્યા રોઝ જેવો ગણાઉં. હે પ્રભુ! જેને અમૃતપાનની તૃષા લાગી છે. તેની તે તૃષા વિષપાન છુિં કરવાથી, ઝેર પીવાથી કેવી રીતે મટી શકે ? તરસ ન આવે તો મરણજીવનતણો,સીઝે જો દરિશણ કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. ૭ શ્રી આનંદઘનજીની ચોવીસી Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy