SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ઘણા ધીરજ ગુણવાળા છે, કારણ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ સહન કરવામાં મેરૂ પર્વત જેવા ધીર છે. પ્રભુ દાક્ષિણ્યતા નામના ગુણથી ભરેલા છે. જેમ કલ્પવૃક્ષને સિંચન કરવાથી ઇચ્છિત ફળ આપે છે તેવી જ રીતે પ્રભુ એકજ કરુણાભરી દૃષ્ટિથી ભક્તને ઇચ્છિત વસ્તુ છે આપી ન્યોછાવર કરી દે છે. શું પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીન રે પસાય સનેહી; ઋતુ વિના કહો કે તરુવરે, ફલ પાકીને સુંદર થાય? સ વારી. ૪ ભવસ્થિતિ પરિપાક થાય ત્યારે જીવને મોક્ષ મળે તે વખતે પ્રભુનો 3 પસાય ન કહેવાય. કારણ કે ભવ્ય જીવે પોતાની ભાવસ્થિતિ પરિપકવ કરી કાર્ય સાધ્યું છે. જેમ ઝાડ ઉપર અનેક ફળ ઋતુ અનુસાર પાકે છે ? હું તેમાં વૃક્ષ જ કારણભૂત છે એમ ન માનવું. અહીંયા ઋતુ જ ફળને પરિપાક દશા આપે છે. માટે હે પ્રભુ! અમારા ઉપર કૃપાદૃષ્ટિ કરી ઇચ્છિત ફળ આપો. જો અમે યુક્તિ વડે ઇચ્છિત ફળ મેળવીશું તો તેમાં આપે મદદ કરી અથવા ટેકો આપ્યો એમ કોઈ રીતે નહીં ? કહેવાય માટે મારા ઉપર મહેરબાની કરો. અતિ ભુખ્યો પણ શું કરે, કાંઈ બીહુ હાથે ન જમાય સનેહી; હું દાસતણી ઉતાવળે, પ્રભુ કીણ વિઘ રીઝયો જાય? સ ... વારી. ૫ કોઈ ભુખ્યા માણસને જમવાનું આપવામાં આવે તો એક જ હાથે હું જમી શકાય. ઉતાવળે ભૂખ પુરી કરવા કાંઈ બે હાથે જમાય નહીં. હું ભૂખને શમાવવા માટે પણ ધીરજથી વ્યવસ્થિત ખાવું જોઇએ. તેવી જ { રીતે સમકિત, સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રના ઇચ્છુક છીએ માટે ધીરજ ( રાખી પ્રભુની ભક્તિ યથાર્થપણે કરવી પડે એવી વિચારણા જ્યાં સુધી હું હું યથાર્થ વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રાખવી જોઇએ. સેવકની ? છે ઉતાવળે કાંઈ ભગવાન કેવી રીતે પ્રાપ્ત થઈ જાય ? ક્રમસર માર્ગની આરાધના કર્યે જ વસ્તુ પ્રાપ્ત થાય. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ૧૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy