SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ કે પ્રભુ લખિત હોય તો લાભીએ, મન માન્યા તો મહારાજ સનેહી; 3; ફળ તો સેવાથી સંપજે, વિણ ખણેય ન ભાંજે ખાજ. સહ ... વારી. પ્રભુ દ્વારા કાંઈ લખી આપવામાં નથી આવ્યું કે તમને મોક્ષસુખ મળશે જ. જો તેમ લખાણ હોત તો તો ભાવિફળમાં શંકા રહેત નહીં. હું તેથી મારા જાણવામાં એટલું આવ્યું છે કે સેવા કરવાથી મોક્ષ સુખ મળે છે એ નિર્વિવાદ વાત છે. જેમ ખણ આવતી હોય તો તેને ખણવાથી પણ હું મટી જાય છે તેમ સેવા કરવાથી પ્રભુ પાસેથી ઇચ્છિત ફળની કાર્ય કે 3; સિદ્ધિ થાય છે. પ્રભુ વિસાયં નવિ વિસરો, સામો અધિક હોવે છે નેહ સનેહી; | મોહન કહે કવિ રૂપનો, મુજ વહાલો છે જિનવર એહ, સ... વારી. ૭ હું જ્યાં સાચો અને પ્રશસ્ત પ્રેમ હોય ત્યાં એવા પ્રેમને અથવા તો પ્રેમીજનને વિસારવા પ્રયત્ન કરીએ તેમ તેમ વિસરાવાને બદલે સ્મરણમાં ; વધારે આવે છે. મોહનવિજયજી કહે છે કે તેવી જ રીતે મને પણ છે આ જિનેશ્વર સુમતિનાથ ભગવાન વહાલા છે કે જેમની પાસેથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે. તેથી તેમને ભૂલવા માગું તો પણ હું ભૂલાતા નથી. ૬. શ્રી પદ્મપ્રભ સ્તવન પરમ રસ ભીનો મારો, નિપુણ નગીનો મહારો, સાહિબો; પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણાધાર હો, જ્યોતિરમા આલિંગીને, પ્રભુ મોરા અછકછાક્યો દિનરાત હો, ઓલગ પણ નવિ સાંભળે, પ્રભુ મોરા તો શી દરિશણ વાત હો.... પ. નિ. ૧ શ્રી પદ્મપ્રભુ પરમ શાંત રસથી ભરપૂર એટલે અધ્યાત્મ રસથી ૧૮૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy