SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મુજ અરદાસ અનંત ભવની છે ભગવંત; આછલાલ જાણને શું કહેવું ઘણુંજી. . ૭ હે પ્રભુ ! આપે ક્રોડો જીવોને તાર્યા છે તો પછી મારા જેવા એકને તારવા માટે પ્રયાસ ન કરો તો કોઈ રીતે ઠીક નહીં. મને સમજાતું નથી કે મારે આપની સાથે શું અલેણું છે ? આપ જાણો છો કે મારી આ માંગણ અનંત ભવની છે. આપ મારી માંગણીના જાણ હોવાથી આપને વાંરવાર કહેવું પડે તે ઠીક નથી લાગતું. ઘણું કહેવાથી શું થાય ? સેવા-ફળ ઘો આજ, ભોળવો કાં મહારાજ, આવેલાલ ભૂખ ન ભાંગે ભાણેજી; રૂપવિબુધ સુપસાય, મોહન એ જિનરાય, આછલાલ ભૂખ્યો ઉમાહે ઘણોજી. . ૭. હે પ્રભુ ! જેમ કોઈ માણસ ભૂખ્યો હોય તેને ખાવાનું આપવામાં ન ક આવે અને મોટાં મોટાં વચનોથી જ તેને રીઝવવાનો પ્રયત્ન કરવામાં હું આવે તો તેથી કાંઈ તેની ભૂખ મટાડવા રૂપ કાર્ય સિદ્ધ ન થાય. ભૂખ્યાને જેમ અન્ન આપી સંતોષ પમાડાય તેમ હું પણ મુક્તિના સુખરૂપ ભોજનનો ઇચ્છુક છું. આપ આ મુક્તિના સુખરૂપ ભોજનથી મને તૃપ્ત કરો. મારી સેવાનું ફળ મને આપો. મને આડી અવળી વાતો કરીને ભોળવવાનો પ્રયત્ન ન કરશો. વચનો દ્વારા કાંઈ ભૂખ ભાંગતી હું નથી. તમે મારી સેવાનું ફળ કૃપા કરીને યથાર્થરૂપે આપો તો જ મારું કે કાર્ય સિદ્ધ થાય એમ શ્રી મોહનવિજયજી કહે છે. શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy