SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ હું ઠપકાથી આપ ખીજાશો નહીં. નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિભુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી. હો પ્રભુજી !.. ૭ હે પ્રભુ! આપ નાભિરાજાના પુત્ર છો, જગતના ગુરુ છો, જગત માટે વંદનીય છો, જગતના હિતકારી પણ છો. શ્રી રૂપવિજયજી પંડિતના શિષ્ય શ્રી મોહનવિજયજી કહે છે કે વૃષભ લંછન ધારણ કરનારા છે એવા ઋષભનાથ ભગવાન ! આપ પ્રભુની બલિહારી છે. ૨. અજિતનાથ સ્વામી અજિત અજિત જિન અંતરજામી, અરજ કરું છું પ્રભુ શિર નામી; સાહિબા સસનેહી સુગુણજી, વાતલડી કહું કહી - સાહિબા. ૧ - હે અજીતનાથ જિનેશ્વર આપ બધાના અંતર-મનને જાણનારા હું છો. આપના ચરણમાં શિર નમાવીને હે પ્રભુ આપને એક અરજ કરું છું. આપ સાહેબ, સ્નેહી છો, આત્માના ગુણોના સ્વામી છો, તો આપને મારી વાત કહું છું. ૧. આપણ બાળપણાના સ્વદેશી, તો હવે કેમ થાઓ છો વિદેશી? સા. પુણ્ય અધિક તુમ હુવા જિગંદા, આદિ અનાદિ અમે તો બંદા. સા. ૨ - હે ભગવાન આપણે અજ્ઞાન દશામાં-અનંત કાળ પહેલા આપણે બન્ને સરખા જ હતા, તો હવે આપ જાણે મારાથી અજાણ હો તેવા શું પરદેશી જેવો વર્તાવ કેમ કરો છો ? હે ભગવાન ! આપ પુણ્યાનુબંધી છું પુણ્ય ભેગું કરીને જિનેશ્વર બની ગયા. જ્યારે હું તો આદિ અનાદિ કાળથી જેવો હતો તેવો – અજ્ઞાની સેવક જ રહી ગયો છું. ૨. | શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી | ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy