SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ( ભવ્ય જીવો મોક્ષે જાય એમાં તો મુખ્ય તો ભવ્ય સ્વભાવ તથા તેથી છું કરવામાં આવતું ધ્યાન જ કામ કરે છે તો પછી એમાં હે પ્રભુ! આમાં હું આપનો ઉપકાર ક્યાંથી થયો ? પણ હે પ્રભુ ? આપ અભવ્યને સિદ્ધ કરો તો આપે ઉપકાર કર્યો કહેવાય. હે પ્રભુ ! આ ઠપકાથી આપ ખીજાશો નહીં. નાણરયણ પામી એકાતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાસી. હો પ્રભુજી !..૪ છું હે ભગવંત ! આપ એકાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષસ્થાનમાં છું એકાંતે મોટા થઇને બિરાજી ગયા આવી સ્થિતિ હોવા છતાં જો આપના કેવળજ્ઞાનમાંથી એકાદ અંશ જો મને આપો તો આપને શાબાસી ઘટે. આ ઠપકાથી હે પ્રભુ! આપ ખીજાશો નહીં. અક્ષયપદ દેતા ભવિજનને, સંકીર્ણતા નહિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતા શું જાય. - હો પ્રભુજી !. ૫ હે ભગવાન! આપ સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકે એવું જ્ઞાન આપવાની શક્તિવાળા છો, તો પછી તેને આપીને આપને જશ લેતા શું વાંધો છે ? વળી આપના જેવું અક્ષયપદ ભવિજીવને આપો તો કાંઈ સિદ્ધશિલા ઉપર સંકડામણ થાય તેવું નથી. આ ઠપકાથી આપ ખીજાશો નહીં. સેવા ગુણરંજ્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નીરાગી. હો પ્રભુજી !...૭ જે ભવ્ય જીવ આપની સેવા વિશેષપણે કરી શકે તેને મોટો ભાગ્યશાળી ડું બનાવો તો આપ સ્વામી મમતાવાળા થયા કહેવાઓ. જ્યારે આપ તો હું જગતમાં નિર્મમ અને નિરાગી કહેવાઓ છો. તેનો ભંગ થાય છે. આ છે ૧૬૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy