SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શ્રી ઋષભદેવ સ્તવન બાલપણે આપણ સનેહી, રમતા નવ નવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી ! ઓળંભડે મત ખીજ. ૧ ઓલંભડે એટલે ઠપકા રૂપે કહેવું તે. ઓલંભડા દેવાનો ઉદ્દેશ પ્રભુ પ્રત્યેનું પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વધારવાનો છે. (ત્રીજું વચન અને ૩ ચોથું અસંગ અનુષ્ઠાન કહેવાય છે. ત્રીજું અને ચોથું અનુષ્ઠાન પ્રાપ્ત શું કરવાથી જ મુક્તિપદને પામી શકે છે. ત્રીજા અને ચોથા અનુષ્ઠાનની { પ્રાપ્તિ માટે પ્રીતિ અને ભક્તિ - પ્રથમના બે અનુષ્ઠાન આદરવા પડે છે છે) હે પ્રભુ ! આપણે ઘણા સમય પહેલાં બાળપણમાં – અજ્ઞાનપણામાં હું નવા નવા ભવો ધારણ કરીને સંસારની રમતો રમતા હતા. તેમાં જ આપ પ્રભુ આ જ મારાથી છૂટા પડી જઇને મોક્ષગામી સ્થિતિને હું મેળવીને, પ્રભુતાઈ મેળવીને, મોક્ષે પધારી ગયા જ્યારે હું તો હજી સંસારમાં બુડ્યો પડ્યો છું. આવા ઠપકાથી હે પ્રભુ! આપ મારા પર ખીજ કરતા નહીં. જો તુમ ધ્યાતાં શિવસુખ લહિએ, તો તમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતે જાવે, હો પ્રભુજી !... ૨ હે પ્રભુ! આપનું ધ્યાન કરતા મોક્ષ મળતો હોય તો કેટલાય આપનું છું ધ્યાન કરે પણ ભવસ્થિતિ પરિપાક ન થાય ત્યાંસુધી મોક્ષ ન થાય એમ આગમમાં છે અને ઘણા કહે છે. તો તમારું ધ્યાન કોણ કરે ? સિદ્ધનિવાસ લહે ભવ સિદ્ધિ, તેહમાં શ્યો પાડ તુમારો; * તો ઉપગાર તુમારો લહિએ, અભવ્ય-સિદ્ધને તારો. હો પ્રભુજી !.. ૩ | શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી | ૧૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy