SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : ભક્તિમાં ભાવ અને રસ ભરપુર હોય તો સાચી ભક્તિ કહેવાય. અને રસ હોય તો બંનેને રીઝવાનું થાય. બંને રસ બતાવતા ? હું જાય અને રીઝતા જાય એમ હરિફાઈ થાય એથી મારા મનના મનોરથ ! પૂરા થાય. હું પણ ગુણવંતા રે ગોઠે ગાજીએ, મોટા તે વિશ્રામ જી; હું વાચક યશ કહે એહ જ આશરે, સુખ લહું ઠામઠામ જી. સુ. ૫ 33 અર્થ : પણ ગુણોના ભંડાર જેવા ભગવાન સાથેની મિત્રતાથી અમે ગાજીએ કે અમને મોટા પુરુષનો આશરો મળ્યો. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે કે આ આશ્રયથી હું હવે ઠામઠામ-દરેક સ્થળે સુખ પ્રાપ્ત કરું. ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી શ્રી સુપાર્થ જિનરાજ ! તું ત્રિભુવન શિરતાજ; આજે હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદતણી જી.... ૧ અર્થ: હે સુપાર્શ્વનાથ જિનેશ્વર ભગવાન ! તમે ત્રણેય ભુવનના છે શિરતાજ-માથાના મુગટ છો. પ્રભુ ! આજે તમારું રાજપદ શોભી રહ્યું છે. દિવ્ય ધ્વનિ, સુર ફૂલ, ચામર, છત્ર, અમૂલ; આજે હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિ જી. ૨ અર્થ: આજે દિવ્ય ધ્વનિ, દેવોએ વરસાવેલ પુષ્પો, ચામર અને અમૂલ્ય છત્ર તેમજ આપની પાછળ ભામંડળ શોભી રહેલ છે અને દુંદુભિનો અવાજ ગાજી રહેલ છે. અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર; આજે હો કીધા રે ઓગણીશે, સુરગણ ભાસુરે છે. ૩ ૧૫૬ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy