SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી પદ્મપ્રભ જિન જઈ અળગા વસ્યા, જિહાંથી નાવે લેખો જી; કાગળ ને મસ. જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષો જી. સુગુણ સનેહા રે કદીય ન વિસરે. ૧ ૬. શ્રી પદ્મપ્રભુ અર્થ : પદ્મપ્રભ જિનેશ્વર એટલે બધે દૂર જઈને વસ્યા છે કે જ્યાંથી પત્રથી લખાણ આવી શકે નહીં. જ્યાં કાગળ અને સ્યાહી મળી શકે નહીં. અને જ્યાં સુધીનો વિશેષ માર્ગ પણ મળી શકે નહીં એમ છતાં સદ્ગુણથી ભરેલા એવા સ્નેહી જિનેશ્વર દેવ કદીયે વિસરી શકાતા નથી. ઇહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશો જી; જેહનું મિલવું દોહિલું, તેહશું નેહ તે આપ કિલેશો જી. સુ૦ ૨ અર્થ : અહિંથી કોઈ ભગવાન પાસે જઈને આવે અને તેમનો સંદેશો કહે એમ બની શકે તેવું નથી. એટલે હું તો એમ માનું છું કે, જેમને મળવું પણ મુશ્કેલ છે તેની સાથે પ્રેમ રાખવો તે પોતાને કલેશ ઉપજાવે તેવું છે. વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારો જી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારો જી. સુ૦ ૩ અર્થ : ભગવાન-જિનેશ્વર દેવ તો વીતરાગી છે અને તેમની સાથે અમે રાગ કરીએ છીએ, તો એવો એક પક્ષીય રાગ કેવી રીતે થઈ શકે ? પણ આ તો એવો પ્રકાર છે કે જેમ ઘોડો પોતાના અસવારનું મન જાણીને દોડતો હોય છે તો પણ અસવાર તે તેના મનમાં પણ લાવતો નથી-કદર કરતો નથી. Jain Education International સાચી ભક્તિ રે ભાવના રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝે જી; હોડાહોડે રે બીહુ રસ રીઝથી, મનના મનોરથ સીઝે જી... સુ॰ ૪ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી For Personal & Private Use Only ૧૫૫ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy