SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : આપનાં બધાં કર્મ ખપ્યાથી સ્વાભાવિક રીતે પ્રથમ ચાર ; અતિશય પ્રગટ થયા. પછીથી અગિયાર થયા અને આજે તો ઓગણીશ અતિશય દેવોએ જાહેર કર્યા. વાણીગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ; આજે હો રાજે રે દીવાજે, છાજે આઠશું જી. ૪ અર્થ : આપની વાણી પાંત્રીસ ગુણોથી શોભે છે. હે જગતના નાથ ! આજે તો તમારામાં આઠેય પ્રતિહાર્ય શોભી રહ્યા છે. સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ શુક્યો છે. ૫ અર્થ: આપ અશોક સિંહાસન પર બેઠા છો. એ જોઈને પર્ષદાના લોકો આપના પર મોહી પડે છે. એવા હે મોક્ષગામી સ્વામી ! હું યશોવિજય આપની સ્તુતિ કરું છું. ૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ચંદ્રપ્રભ જિન સાહેબારે, તમે છો ચતુર સુજાણ, મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશો ફળ નિર્વાણ, મનના માન્યા; આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી; ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ અર્થ : હે ચંદ્રપ્રભુ જિનેશ્વર ! સાહેબા ! તમે તો બહુ ચતુર છો હું અને સુજાણ છો તેથી મારા મનને ગમી ગયા છો. વળી હે ભગવાન! તમે આ દાસની ભક્તિ જાણો છો. તો તેના ફળ રૂપે મને નિર્વાણનું 3 સુખ આપજો. હે ચતુર પ્રભુ ! હે નિર્વાણ સુખના ભોગી જિનેશ્વર ! જ તમે આવો. આપણે એકાંતમાં આત્માની વાતો કરીએ. જેટલા આપના જે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની ચોવીસી ૧૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy