SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પદ જે પરમાનંદ પદ તેની સિદ્ધિ થાય. વળી કેવળજ્ઞાનાદિક ગુણ પ્રગટે અને જ્ઞાનામૃત રસનો ભોગી થાય. સહજગુણરૂપ સમૃદ્ધિ મળે. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે, ઉપાદાન તે વસ્તુનો મૂળધર્મ છે. એટલે કે આત્મસત્તા પ્રગટે છે તે ઉપાદાન કારણ છે, પણ તે નિમિત્ત કારણને આધીન છે. નિમિત્ત કારણના બે ભેદ છે એક પુષ્ટ અને બીજું અપુષ્ટ નિમિત્ત. તેને ગ્રાહક જે કાર્યનો કર્તા, તે જે રીતે કાર્ય થાય તે રીતે ગ્રહી પ્રવર્તાવે તો તે નિમિત્ત કારણ કાર્યનો હેતુ થાય, પણ અવિધિએ ગ્રહણ કરે તો નિમિત્ત કારણ કાર્ય કરે નહીં. સાધક આશાતના ટાળી પુદ્ગલ આશંસા રહિત કેવળ જ્ઞાનાદિ ગુણની ઓળખાણ સહિત જો સેવે તો મોક્ષનું નિમિત્ત કારણ થાય, માટે ગ્રાહકે વિધિસહિત કારણ ગ્રહવું તો તે કાર્યને કરે. ગ્રાહક વિધિ આધીન. .. ઓ. ૨ સાધ્ય સાધ્ય ધર્મ જે માંહી તુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ; પુષ્પ પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધ્વંસક દુષ્ટ... ઓ. ૩ ૧૩૨ સાધ્ય-ક૨વા યોગ્ય જે કાર્ય ધર્મ, તે જે કારણમાં હોય તે તેનું પુષ્ટ કારણ કહીએ. જેમ તેલને સુગંધી ક૨વા રૂપ કાર્ય, તેનું કારણ પુષ્પ છે, પરંતુ વાસના કરવી તે સાધ્ય છે, તે વાસના ફુલમાં છે, અને તે ફુલ તથા તેલની વાસનાનો ધ્વંસક નથી તે માટેતે પુષ્ટ નિમિત્ત છે. શ્રી અરિહંતદેવ તે મોક્ષરૂપ કાર્યના પુષ્ટ નિમિત્ત છે, જે માટે સાધ્ય એટલે નિરાવરણ, પરમાત્મપદ તે શ્રી અરિહંતને વિષે છે, માટે જ શ્રી અરિહંત-પ્રત્યક્ષ સત્પુરુષ પુષ્ટ નિમિત્ત છે. Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy