SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ શકે. ચેતન-ચેતના સાકાર-અનાકારને યથાર્થ જોઇને, સમજીને જ હું પોતાના શુદ્ધ સ્વભાવને ગ્રહે, તેના પ્રતિ- આચરણરૂપ રુચિને અંગીકાર શું કરે ત્યારે છએ કારક પોતાના સાધકભાવ, કર્મ વિદારણ સ્વરૂપે પ્રગટ કરવા રૂપ ભાવ તેને મેળવે અને તેના દ્વારા સિદ્ધિને મેળવે. માહરું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે, પ્ર. પુષ્ટાલંબનરૂપ, સેવ પ્રભુજી તણી રે; સે. દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરો રે, ભ. અવ્યાબાધ અનંત, અક્ષય પદ આદરો રે. અ... ૭ મારું પૂર્ણ આનંદરૂપ સ્વરૂપ જે પ્રગટ કરવા માટે શ્રી અરિહંત ભગવાન તે પુષ્ટ અવલંબન રૂપ છે. તેમની સેવા ભક્તિ કરવાથી તેમના જેવા થઈ શકાય એમ જાણીને તેમની સેવા કરવાનો નિર્ધાર કરો. માટે દેવોમાં ચંદ્ર સમાન શ્રી જિનેશ્વર ભગવંતની, વીતરાગ ભગવંતની હું ભક્તિ, સેવા-આજ્ઞા માનવારૂપ કાર્ય કરવાનું મનમાં નક્કી કરો અને તે તે પ્રમાણે વર્તીને, ચાલીને અવ્યાબાધ, અનંતકાળ ટકે એવા અક્ષય પદને મેળવવા પુરુષાર્થ આદરો. ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન . ઓલગડી તો કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીની રે, જેહથી નિજપદ સિદ્ધિ; કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીએ સહજ સમૃદ્ધિ. . ઓ. ૧ મુનિ એટલે નિગ્રંથ અને સુવ્રત કહેતાં યથાતથ્ય વ્રતવાળા એવા $ શ્રી મુનિસુવ્રત પ્રભુ તેની સેવા કરો, ગુણગ્રામ કરો કે જેથી પોતાનું શ્રીમદ્દ દેવચંદ્રજી કૃત ચોવીસી ૧૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy