SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ # સ્વક્ષેત્ર સ્વરૂપમાં આત્મા રહે.સ્વક્ષેત્ર એટલે શુધ્ધ અવસ્થાની અવગાહના પરકર્તવ્ય સ્વભાવ, કરે તોલગી કરે રે, ક. શુદ્ધ કાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે, થ. શુદ્ધાતમ નિજ કાર્ય, રુચિકારક ફિરે રે, રૂ. તેહિ જ મૂલ સ્વાભાવ, ગ્રહે નિજ પદ વરે રે. ગ્ર....૫ પરભાવ-ભાવકર્મ-વ્યર્મ-નોકર્મ તેને કર્તાપણાથી કરે છે ત્યાં સુધી છું તે પરનો રાગી, પરનો ભોગી છે. પણ જ્યારે શુદ્ધભાવ-સ્વભાવ પ્રગટ કરવારૂપ રુચિ થાય ત્યારે પરકર્તાપણાને છોડી દે, આચરે નહીં. જેવું ભેદજ્ઞાન ધારાથી આત્માને પરભાવથી છોડાવી પોતાના આત્મસ્વરૂપ ધર્મમાં લાવવામાં હિત માન્યું તેવી જ આત્મિક ધર્મની રુચિ પ્રગટ થાય. અને જેને જેની રુચિ ઉપજે તેજ કાર્ય કરે, ત્યારે કર્તા સ્વકાર્યને જ કરે, સર્વ કારક ચક્ર સ્વકાર્ય આશ્રિત થાય. આમ થવાથી તે પોતાનો અચલ, અખંડ, અવિનાશી, નિઃપ્રયાસી છે સ્વપરિણમનરૂપ જે મૂળ સ્વભાવ તેને ગ્રહણ કરે અને પોતાના પરમાત્મપદ પૂર્ણપદને વરે, અને એમ કરીને સંપૂર્ણ અવ્યાબાધ એવા સુખને આત્મા પ્રાપ્ત થાય. કારણ કારજરૂપ, આઈ કારક દશા રે, આ વસ્તુ પ્રગટ પર્યાય, એહ અનર્થે વસ્યા રે, એ પણ શુદ્ધ સ્વરૂપધ્યાન, તે ચેન્નતા ગ્રહે રે, તે. તવ નિજ સાધક ભાવ, સકલ ધારક લહે રે.સ.- ૭ એ છ કારક તે કારણ તથા કાર્યરૂપ છે, કાર્યને નિપજાવવા રૂપ છે માટે કારણના જ ભેદ છે, સર્વ કાર્ય કર્તાને આધીન છે, કર્તા જે દર કાંઇપણ કરે તે કારણ વિના થાય નહીં. માટે આત્મપદાર્થ તેના છ જ કારક તે પ્રગટ નિરાવરણ પર્યાય છે. એમ મનમાં વસે તેને કર્તાપણું , આવરણરૂપ નથી. પણ ચેતન વિકારી સ્વરૂપથી પલટનપણું કરે તો હું ૧૩૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy