SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ હું ફરી સાધકતાનું અવલંબન લઇને કારક ચક્રને સ્વરૂપ અનુયાયી બનાવવું હું અને એમ વિચારવું કે હે ચેતન, તું પરભાવનો કર્તા, ભોકતા તથા કે ગ્રાહક નથી. તે પોતે જ સંપૂર્ણાનંદ શુદ્ધ વિલાસવાળો છે માટે તેને પ્રાપ્ત કર. તેને પ્રાપ્ત કરવા માટે હે ચેતન ! તું યથાર્થ વાણીરૂપ અમૃતપાન કરીને અનાદિ વિભાવ ભાવને તજીને પોતાના તત્ત્વને હું સંભારીને સ્વપરનો વિવેક કરી પોતાના સહજાનંદને પ્રાપ્ત કરી લે. હે ચેતન ! તારે જ અશુદ્ધ પરિણામનો ત્યાગ કરવાનો છે કારણ હું તારી સત્તાનો આધાર પણ તું જ છો. આમ સાધકપણાને આદરવું, સાધકતાને આદરી આત્માના સ્વકાર્યને નીપજાવવું જેથી આત્મા સિદ્ધતાને પામે. આજ સાધનાનો માર્ગ છે. સાધન આદરવાથી કાર્યની સિદ્ધિ થાય. આ ક્રમ છે. શદ્ધપણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે, પ્ર. કર્તાદિક પરિણામ, તે આતમ ધર્મમેં રે; તે. ચેતન ચેતન ભાવ, કરે સમવેતમેં રે, ક. સાદિ અનંતો કાલે, રહે નિજ ખેતમેં રે. ૨૪ ૧. શુદ્ધપણે નિષ્પન્ન આત્માના જ્ઞાનાદિ પર્યાયનું જાણવા દેખવારૂપ છું કાર્યનું પ્રવર્તન, ઉત્પાદન વ્યયરૂપ પરિણમન, તે કાર્યનો કર્તા આત્મા છે. ૨. આત્મગુણનું પરિણમન તે કાર્ય, ૩. આત્મગુણ જ્ઞાનાદિક તે કરણ, ૪. આત્મગુણનો લાભ તે સંપ્રદાન, ૫. પરભાવ ત્યાગરૂપ છે પરિણતિ તે અપાદાન, ૭. અનંતગુણ જેમાં રહે તે આધાર. આ ષટ શું ચક્ર સિદ્ધ અવસ્થામાં સદા સ્વાધીનપણે ફરી રહ્યું છે, તેથી શુદ્ધ નિષ્પન્નપણે જે સ્વપર્યાયનું પ્રવર્તન તે આત્મધર્મમાં જ છે તે સ્વરૂપમાં જ આવેલા છે. ચેતન-આત્મા પોતાના આત્મભાવમાં રહે એટલે સમવાય સંબંધમાં રહે એટલે કે આત્મા, આત્મભાવનો કર્તા છે તે હવે અનંતકાળ પર્યત અસંખ્યાતા પ્રદેશરૂપ ક્ષેત્ર મધ્યે આત્મધર્મમાં નિષ્પન્ન સિદ્ધતાપણે રહે. સિદ્ધિની આદિ છે પરંતુ અંત નથી માટે હવે તે સાદિ અનંતકાળ શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૧ર૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy