SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ હું વિર્ય તે ઉપાદાન કારણ તે કરણ નામનું ત્રીજું કારક કહેવાય. ૪. આત્માની સંપત્તિ જ્ઞાન-દર્શન-ચારિત્રમય પર્યાય તેનું દાન આત્માને છે આત્મગુણ પ્રગટ કરવારૂપ દેવું તેથી જે જે આત્મધર્મ નિપજતા જાય, તે સંપ્રદાન કહીએ. અહીંયા દાતા આત્મા, પાત્ર પણ આત્મા અને દેવા નું ; યોગ્ય તે આત્મધર્મ એ ત્રણે ભાવની અભેદતા થાય છે. ગુણનું પ્રગટ કરવું તે દેય, આત્મા દાતા તથા આત્મગુણને પ્રગટ છે કરે તે દાતાપણું અને ગુણનું પાત્ર પણ આત્મા એટલે દાન, દાતા અને ગ્રાહક એ ત્રણે અભેદ છે. સ્વપર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે, તે. સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે, સં. બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, અ. સાધકતા અવલંબી, તેહ સમારવા રે. તે. ૩ ૫. આત્માથી સમવાયે રહેવું તે સ્વધર્મ - આત્મધર્મ છે. મોહાદિકે કરી અશુદ્ધ પ્રવૃત્તિ કરવી તે પરભાવ છે. આ અનાદિ સંસારનું છે ડું કર્તાપણું તથા ભોકતાપણું છે તેને તજીને આત્મસ્વરૂપી કર્તાપણું તથા ભોકતાપણું પ્રગટ કરવું તેને અપાદાન કારક કહેવામાં આવે છે. હું . સકલ પર્યાય તેનો આધાર આત્મા છે. આત્માને આત્મપર્યાયથી ? સ્વસ્વામીત્વ સંબંધ છે, વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, ગ્રાહ્ય ગ્રાહક સંબંધ છે, આધારાધેય સંબંધ છે. એ સર્વનું આસ્થાનું કહેતાં તે કારણરૂપ ક્ષેત્ર તે આત્મા છે. તે આસ્થાનતા માટે આત્મા આધાર છે, એ આધાર છે નામનું છઠ્ઠ કારક છે. આ પ્રમાણે છે કારક સાધકપણાના કહ્યા. એ સાધકપણું કેમ પ્રાપ્ત થાય ? તો કહે છે કે બાધક-પરભાવ-મિથ્યાત્વ, અવિરતિ, આ કષાયને કારણે અશુદ્ધ કર્તાપણું થયું તેને નિવારવું. જ્યાં સુધી કર્તા પરભાવમાં છે ત્યાં સુધી સાધકતા નથી, માટે બાધક કારણોથી પાછા ૧૨૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy