SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ છે. કારણ તેના વિના મોક્ષ સાધના થતી નથી. તેથી તેને જ અપેક્ષા કારણ કહેવામાં આવ્યું છે. તેમજ ઉપાદાન સિદ્ધિ માટે જરૂરી છે નિમિત્ત કારણ સતુદેવ, સતુધર્મ, સતુશાસ્ત્ર તેને આશ્રયે રહો અને ઉપયોગ કરીને મનુષ્ય ગતિ સફળ કરો. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી..... ૧૨ આત્મા માટે પુષ્ટતારૂપ નિમિત્ત કારણ શ્રી જિનરાજ છે, વીતરાગ શું છે. તે વીતરાગ સમતારૂપ અમૃતની ખાણ છે, ખજાનો છે. ઇષ્ટહું અનિષ્ટતા રહિત સમતાના નાથ છે. શુદ્ધ ચારિત્ર પરિણામ તે અમૃત શું છે માટે તેઓના અવલંબન વડે પોતાના સર્વ ગુણને મેળવવા પુરુષાર્થ ફિ કરે તો નિયમા સિદ્ધિ પ્રાપ્ત થાય. એને જિનેશ્વરે વખાણી છે. પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હળીએ; રીઝ ભક્તિ બહુમાન, ભોગ ધ્યાનથી મળીએ.... ૧૩ | માટે પુષ્ટ આલંબન એવા શ્રી અરનાથ ભગવાન તેમના ગુણો જે કેવળજ્ઞાન, દર્શન, અનંત આનંદ છે તેથી એકમેક થાઓ એટલે છે તેને તેઓના આલંબનથી પુરુષાર્થ કરીને મેળવીએ. તે ભગવાન હું યથાતથ્ય ભક્તિથી રીઝવાવાળા છે, અને તે માટે ધ્યાનરૂપી અગ્નિ છે સળગાવીને તેઓને ધ્યાનમાં મેળવીને તે આનંદરૂપ આત્મારૂપ ભગવાનનો ભોગવટો કરીએ. મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. .. ૧૪ જેમ સંસારમાં મોટા માણસ ખોળામાં બેઠા હોઇએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી તેવી જ રીતે હે ભગવાન ! આપના ચરણમાં હું બેસીને સેવકો નિશ્ચિત થાય છે. કારણ ભગવાન પુષ્ટ આલંબન છે છે જેથી તેના આશ્રમમાં રહેવાથી તેના જેવો બની જવાનો છે તો પછી શ્રીમદ્દ દેવચંદ્રજી કૃત ચોવીસી ૧૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy