SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિપણોરી; નિજ સત્તાગત ઘર્મ, તે ઉપાદાન ગણોરી..૯ સિદ્ધતારૂપ કાર્યના ચાર કારણ : સિદ્ધતારૂપ કાર્ય તે આત્માનું ! હું અભેદ સ્વરૂપ છે, માટે એનો કર્તા આત્મા પોતે જ છે અને સિદ્ધપણું તે આત્માનું કાર્ય છે. મારે પરમાનંદરૂપ આત્માની સિદ્ધતાને મેળવવાની છે, માટે મૂળધર્મને-સિદ્ધતાને મેળવવા માટે ચેતના, વીર્યને ફોરવીને હું સિદ્ધતાને નિપજાવવી જોઇએ. તે આવી રીતે અંશે કર્તા થયો, પછી ; ગુણ વૃદ્ધિ થયે સંપૂર્ણ કર્તાપણું પામીને કાર્ય નીપજાવે. જે પોતાનો હું સત્તાગત ધર્મ તે સિદ્ધિરૂપ થાય છે, તે જ ઉપાદાન કારણ છે. ઉપાદાન તે વસ્તુનો મૂળધર્મ, તે જ સિદ્ધ થાય છે. એટલે સિદ્ધતાનું કારણ ગણવું. યોગ સમાધિ વિધાન, અસાધારણ તે વડેરી; વિધિ આચરણા ભક્તિ, જેણે નિજ કાર્ય સંઘેરી.... ૧૦ સિદ્ધતારૂપ કાર્યનું અસાધારણ કારણ મન, વચન, કાયાના યોગોને ? $ દ્રવ્યથી અને ભાવથી સ્વગુણ રમણતામાં પ્રવર્તાવવા તે જ આત્મસમાધિ છે. તે મેળવવા માટેના કારણો વડે ચોથા ગુણસ્થાનકથી માંડીને સિદ્ધ છે પર્યંતના ગુણોની વૃદ્ધિ કરવી. સર્વ જ્ઞાન-દર્શન-ચારિત્ર- શ્રેણીગત ધ્યાન, ક્ષયોપશમી ભાવ, ભક્તિ વિધિ સહિત આચરવા જેથી પોતાના કાર્યની સિદ્ધિ નીપજે. તે જ્ઞાન ક્રિયારૂપ સાધક અવસ્થાની તરતમતાએ અસાધારણ કારણ કહેવાય છે. નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણો. ૧૧ મનુષ્ય ગતિ, વજ ઋષભ નારા સંઘયણ, સિદ્ધતારૂપ કાર્યનું શું અપેક્ષા કારણ છે. અહીં કર્તાનો વ્યાપાર નથી પણ એ નિશ્ચયથી ૧૨૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy