SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શું કરુણા વરસાવનાર છો. મારા માટે પરમ પૂજ્ય, વંદનીય, આદરવા હું જોગ એવા હે ભગવાન આપ સમવસરણમાં બિરાજમાન છો. મેં ચારમુખ વડે ચાર પ્રકારની ધર્મદેશના દેતા એવા શ્રી અરિહંત ભગવાનનું દર્શન કર્યું છે માટે હે ભવ્ય જીવો તમો પણ શાંતિનાથ ભગવાનને જુઓ અને હર્ષ પામો. આ ભગવાન કેવા છે ? પરમાત્મા, ઉપશમ- શાંતિ રસના મૂળ છો. એમની સરખામણીમાં આવી શકે તેવો બીજો શું કોઈ આ જગતમાં નથી. પ્રાતિહારજ અતિશય શોભા વા. તે તો કહિય ન જાવે રે; ધૂક બાલકથી રવિકરભરનું, વર્ણન કેણીપરે થાવે રે. ભાર જેમ ઘુવડના બચ્ચાથી સૂર્યના તેજસ્વી કિરણોના સમૂહનું વર્ણન શું થઈ શકતું નથી તેમ શ્રી અરિહંત ભગવંતના આઠ પ્રતિહારો તથા શું ચોત્રીસ અતિશયો યુક્ત વાણીની શોભાનું વર્ણન મારા જેવા બાળથી શું થઈ શકે તેમ નથી. વાણી ગુણ પાંત્રીસ અનોપમ વા. અવિસંવાદ સરૂપે રે; ભવદુઃખવારણ શિવસુખકારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપે રે. ભ.૩ આપની વાણી પાંત્રીસ અનુપમ ગુણોથી યુક્ત અને પરસ્પર વિરોધ ન આવે એવા સ્વરૂપવાળી છે. આ વાણી ભવ્ય જીવોના ભવદુઃખ કાપનાર છે અને મોક્ષ સુખ આપનાર એવા શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરનારી છે. દક્ષિણ પશ્ચિમ ઉત્તરદિશિ મુખવા.ઠવણજિન ઉપગારી રે; તસુ આલંબન લહિય અનેક, તિહા થયા સમકિત ધારી રે. ભ. ૪ સમવસરણમાં શ્રી અરિહંત ભગવાન પૂર્વ સન્મુખ બેસીને દેશના ૬ આપે છે પણ બાકીની દિશામાં પણ પ્રભુ મુખ રાખીને બેઠા હોય તેમ છે દેખાય છે. પૂર્વ દિશા સિવાયની દિશાના જિનને સ્થાપના જિન કહેવામાં શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી ! ૧૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy