SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પામી જાય છે, ખરી જાય છે. અને તે સમયે એક નિઃસંગ, નિર્દક શું ; સહાયની જરૂરિયાત વગરની ઉત્સર્ગ શક્તિ એટલે આત્મશક્તિ સંપૂર્ણપણે છે વ્યક્ત થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. તેણે મુજ આતમા થકી નિપજે, મારી સંપદા સકલ મજ સંપજે; તેણે મનમંદિરે ધર્મપ્રભુ ધ્યાઇએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઇએ.. ૧૦ શું આ રીતે અરિહંત પરમાત્માના આલંબનથી મારું આત્મતત્ત્વ પ્રગટે છે, મારામાં સત્તામાં રહેલી એવી આત્મલક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે માટે શું મારે સાધક બનીને પોતાની અંદર પોતાના મનમંદિરમાં ધર્મનાથ ! { પ્રભુનું ધ્યાન કરવું રહ્યું જેથી દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ એવા પોતાના શું 3; શુદ્ધ આત્માની સિદ્ધિનું સુખ મેળવી શકું. આ સ્તવનમાં આત્માના સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવના લક્ષણો બતાવી અધ્યાત્મ સાધનામાં ઉપયોગી એવી માહિતી આપી છે. શું ધ્યાન દશામાં સામાન્ય સ્વભાવનો ઉપયોગ કરવાનો છે. જ્યારે વ્યવહાર ભૂમિકામાં વિશેષ સ્વભાવનો ઉપયોગ કરવાનો છે. ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન જગત દિવાકર જગત કૃપાનિધિ, વાહલા મારા સમવસરણમાં બેઠા રે, ચઉમુખ ચઉહિ ધર્મ પ્રકાશે તે મેં નયણે દીઠા રે. ભવિક જન હરખો રે, નિરખી શાંતિનિણંદ ભ. ઉપશમરસનો કંદ નહિ ઇણ સરિખો રે.... ૧ આપ જગત માટે જ્ઞાનનાં સૂર્ય છો. જગતનાં જીવો ઉપર પરમ છે ૧૧૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy