SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. રમણતા : સ્વગુણ પર્યાયમાં રમણ કરવું તે આત્માનો રમણતા નામનો સ્વભાવ છે. ૫. પારિણામિકતા : શુદ્ધ સ્વપ્રદેશતા એટલે કે પ્રદેશોની પૂર્ણ શુદ્ધતા થવી. એ પણ વિશેષ સ્વભાવ છે. ૬. ચૈતન્યતા : ચેતન ગુણવાળો આત્મા છે. ૭. વ્યાપ્ય-વ્યાપકતા : આત્મા વ્યાપક છે અને તેના ગુણો વ્યાપ્ય છે. તેથી વ્યાપ્ય-વ્યાપકતા સ્વભાવ છે. ૮. ગ્રાહ્ય-ગ્રાહકતા : સ્વગુણોનું ગ્રાહ્યપણું છે, આત્મા તેનો ગ્રાહક છે. તેથી ગ્રાહ્ય-ગ્રાહકતા ભાવ આત્માનો સ્વભાવ છે. આ પ્રમાણે આત્માના વિશેષ સ્વભાવો છે. જેમ કે આધાર-આધેયપણું, સંરક્ષણપણું, સ્વસ્વામિ ભાવાદિક એ સર્વ વિશેષ સ્વભાવ જાણવા. હે ધર્મનાથ ભગવાન ! આપ આપના સામાન્ય તથા વિશેષ સ્વભાવ પ્રગટાવી નિરામય થયા છો. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું; જવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, ૧૧૨ પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો. Jain Education International આપે હે ભગવાન ! પરના સંગનો પરિહાર કરીને – પરસંગથી નિવર્તીને શુદ્ધ આત્મિક આનંદરૂપ જે પોતાનું પદ તેને પ્રાપ્ત કર્યું. જ્યારે હે ભગવાન ! હું તો પરભાવમાં રમણતા કરતો કરતો ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. આ પરનો સંગ કરવાથી જ આ કર્મે મને સંસારમાં પકડી રાખ્યો છે. ... ૭ For Personal & Private Use Only વીર-રાજપથદર્શની - ૨ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy