SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ પુદ્ગલ નભ ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણ ધર્મ પwવ સહુજી, તુજ ગુણ એકતણો લેશ....વિ. ૩ સર્વ પુદ્ગલ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના શું $ પ્રદેશ. આ બધાના ગુણ પર્યાય અનંતા છે. તે સર્વનો સરવાળો કરીએ ? તો પણ હે ભગવાન! તે આપના એક ગુણનો લેશ પણ ન થાય. એમ નિજભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વપરપદ અસ્તિતાજી, તુજ સમકાલ સમાય.....વિ.૪. જેમ કેવળજ્ઞાન ગુણ અનંત પર્યાયી છે. તેમજ કેવળ દર્શનાદિક, ભાવ ગુણના પર્યાય અનંતા છે. સ્વદ્રવ્યનું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શું અસ્તિપણું પણ અનંત છે. તેમ સ્વદ્રવ્ય વડે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે પણ અનંતા છે તેમાં આપનું અસ્તિપણું નથી તે પણ અનંત છે. એટલે કે પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિપણે પણ આપનામાં છે. જીવને વિષે જ્ઞાનાદિક ગુણની અસ્તિતા તેમ વર્ણ, રૂપ, ગંધ, આદિની નાસ્તિતા છે. વર્ણાદિકપણું તે જીવમાં નથી પણ તેની નાસ્તિતા જીવમાં રહી છે. તે સર્વ દે વિમલનાથ જિનેશ્વર આપની પારિણામિકતા મળે તથા કર્તુતા મળે, ભોકતૃતા મધ્ય પ્રતિસમયે સમાયેલી છે. હે પ્રભુ ! આપની નિર્મળતા તે સમકિતી જીવને શ્રદ્ધાગોચર છે, જે પૂર્વધરને પરોક્ષ ભાસન ગોચર છે અને કેવળીને પ્રત્યક્ષ છે. માટે હે જી નાથ ! આપના જ્ઞાન, દર્શનાદિની અનંતતા તે જે ભવ્યજીવને સ્યાદ્વાદોર્પત ભાસન પ્રતીત ગોચર થઈ તે જીવને ધન્ય છે. તો હે પ્રભુજી ! આપની શી વાત કરું ? આપ તો મહાન છો. મોટા છો. તાહરા શુદ્ધ સ્વભાવને જી, આદરે ઘરી બહુમાન; તેહને તેથીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન.... વિ. ૫. હે ભગવાન ! આપનો જે શુદ્ધ નિર્દોષ સ્વભાવ તેને જે અંગીકાર D ૧૪ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy