SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વયે શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ.પૂ.૭. જે શ્રી જિનેશ્વરની પૂજા છે તે પોતાના આત્માની જ પૂજા છે. આમ છે કરવાથી જીવ આત્મગુણ, આત્મસંપદારૂપ જ્ઞાનાનંદાદિક અનંત શક્તિને હું પ્રગટાવે છે. તે અવિનાશી શક્તિ છે અને તેથી તે પરમાનંદરૂપ સુખને અનુભવે છે. દેવોમાં ચંદ્ર સમાન એવા ભગવાને જે પદ વ્યક્ત કર્યું છે તેને સાધક જીવ મેળવે છે. ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન વિમલજિન, વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ લંઘિયેજી, સ્વયંભુરમણ ન તરાય. .વિ. ૧. હે વિમલનાથ સ્વામી આપની નિર્મળતા કેવી છે? સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ દોષરહિતપણે છે. આ નિર્મળતા છદ્મસ્થ જીવોથી કહી શકાય હું નહીં તેવી છે. નાની નદીને જેમ તેમ કરીને પાર ઉતરી જવાય, પણ સ્વયંભુરમણ સમુદ્ર કાંઈ જેમ તેમ કરી કરી શકાય નહીં. એવી જ રીતે પ્રભુના ગુણ સ્વયંભુરમણ સમુદ્રથી પણ અનંતગણા છે તે સર્વ વાણી દ્વારા કહી શકાય નહીં. સયેલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઈ તોલે એક હથ્થ; તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહીં સમરથ..વિ. ૨ કોઈ બળવંત પોતાના એક હાથે આખી પૃથ્વી, પર્વત, જળ, જે હું ઝાડ વનસ્પતિ સહિત તોલી શકે, ઉપાડી શકે તે પણ આપના હું ગુણોના સમૂહને કહી શકવાને સમર્થ થઈ શકતો નથી કારણ આપનું $ નિર્મળ સ્વરૂપ કેવળીને ગમ્ય છે, છતાં સંપૂર્ણપણે વચન દ્વારા કહી શકાતું નથી. શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૧૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy