SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ હું મહાભાગ્ય-શાળી થયો છું. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધસ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. હવે શુદ્ધ ભાવપૂજાની વાત કરે છે. પોતાના આત્માંના ક્ષયોપશમભાવી દર્શનગુણ, જ્ઞાનાદિગુણ તે સર્વ પ્રભુની આંતરિક પ્રભુતામાં લીન કરવા, શુદ્ધ સ્વરૂપી પરમાત્માના સ્વરૂપમાં તન્મય થઈ જઇને અનુભવરૂપી અમૃતના આસ્વાદથી આત્માને પુષ્ટ બનાવવો ભાવપૂજા છે. તે .. શુદ્ધ તત્ત્વ૨સરંગી ચેતનારે, પામે આત્મસ્વભાવ; આત્માલંબી નિજગુણ સાધતો રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. .. પૂ. ૫. પૂ. ૪ આ પ્રમાણે શુદ્ધ, સંપૂર્ણ રીતે તત્ત્વને પામેલા એવા ભગવાનની સાથે પોતાની ચેતનાને તેના ગુણની ભોગી બનાવી દે ત્યારે આત્મસ્વભાવને મેળવે, પ્રગટ કરે. આમ આત્મ અવલંબી બનીને સાધના કરતો સાધક પોતાના ગુણોને પ્રાપ્ત કરે છે. અને તેમ કરીને આત્મા આત્મગુણોને સાધીને પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે છે. આપ અકર્તા સેવાથી હવે રે, સેવક પૂરણ સિદ્ધિ; નિજ ધન ન દિયે પણ આશ્રિત લહે રે, અક્ષય અક્ષર રિદ્ધિ. પૂ. ૬ ૧૦૨ હે ભગવંત આપે અકર્તાભાવ પણ શુદ્ધ સેવનાથી જ પ્રાપ્ત કર્યો છે. તેથી આપની સેવાથી મારી પણ આપે મેળવી છે તેવી સિદ્ધિ થશે. તેથી પ્રભુની સેવા કરવાથી સાધક સંપૂર્ણ સિદ્ધતાને મેળવી શકે છે. કોઇપણ જીવ પોતાના ગુણ બીજા જીવને આપી શકતો નથી. પણ જે પ્રભુનો આશ્રિત થઇને સેવા ભક્તિ કરે છે તે અક્ષયનાશ ન પામે તેવી, અક્ષર- અવિનાશી એવી અનંત આત્મસંપત્તિ, પૂર્ણાનંદ સહિત મળે છે. Jain Education International For Personal & Private Use Only વીર-રાજપથદર્શિની - ૨ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy