SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન પૂજના તો કીજે રે બારમા જિનતણી, જસુ પ્રગટયો પૂજ્યસ્વભાવ; પરકૃતિ પૂજારે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ. પૂજના. ૧ શ્રી દેવચંદ્રજી મ.સા. આ સ્તવનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તવના શું કરતા કહે છે કે હે ભવ્ય જીવો ! તમારે જો આત્મિક સુખ મેળવવું હોય તો બારમા જિનેશ્વર શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરો કારણ કે તેમનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો છે અને જે પરકૃત એટલે બીજા પાસે પોતાની પૂજા કરાવવાની ઇચ્છાવાળા નથી, છતાં સાધક માટે શું સિદ્ધિને મેળવવા માટે એ જ પરમ સાધન છે. શું દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત અને શુદ્ધ; શું પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ... પૂ. ૨ શ્રી જિનેશ્વરની પૂજાના બે પ્રકાર છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. હું ] બાહ્ય પદાર્થો દ્વારા જેમ કે ફુલ, કેસર, ધૂપ વિગેરે દ્વારા કરવામાં આવતી પૂજા દ્રવ્યપૂજા છે અને તે ભાવપૂજા માટેનું કારણ છે. માટે તે હું પૂજા કરો. ભાવપૂજાના બે પ્રકાર છે. શુદ્ધ અને પ્રશસ્ત પૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવપૂજા કહેવામાં આવે છે. ત્રણ ભુવનના સ્વામી એવા ભગવાન જ મારે માટે પરમ ઇષ્ટ છે, પ્રિય છે તેવા ભાવ તે પ્રશસ્ત ભાવપૂજા છે. આપનો છેલ્લો ભવ હોવાથી આપ સ્વયંબુદ્ધ છો. સ્વયંપણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. ... પૂ. ૩ આપનો મારા પર અતિશય મહિમા અને ઉપકાર છે. અને આપના નિર્મળ ગુણો તરફ રાગ હોવાથી સુરમણિ, સુરધટ, કલ્પવૃક્ષ મળે તો પણ મારા માટે તુચ્છ છે. કારણ કે, આપના પ્રત્યે રાગી હોવાને લીધે શું શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૧૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy