SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી શ્રેયાંસ ભગવંત અત્યંત અદ્ભુત, આશ્ચર્યકારી, સહજાનંદ જ 3; સહજ સ્વભાવના આનંદરૂપ છો. જે ગુણ છે તે ત્રિવિધ પરિણમે છે. હું હું તે દા.ત. જ્ઞાનગુણ તે કરણ જાણવું. ઉપાદાનપણે જ્ઞાનગુણથી જે કે શેયપદાર્થોનું જ્ઞાન થાય તે એનું સાધ્ય ફળ છે માટે એ કાર્ય જાણવું, તથા તે કાર્ય જાણવાને જે જ્ઞાનની ફુરણા એટલે પ્રવૃત્તિ તે ક્રિયા કું હું જાણવી. એ ત્રણે આત્માની છે અને અભેદ છે. આ અભેદરૂપ ગુણ છે ? ત્રિવિધ પરિણામે જેના પરિણમી રહ્યા છે, એવા શ્રેયાંસનાથ પ્રભુ હું અનંત ગુણના વૃંદ (સમુહ) છે. જેમ કારણ-કાર્ય-ક્રિયાની અભેદતા છે તેમ ભેદતા પણ છે. સત્ત્વ, પ્રમેયત્વે અભેદતા છે અને સંજ્ઞા સંખ્યા લક્ષણે ભેદતા છે. મુનિચંદ એટલે મુનિ જે ત્રિકાળ તત્ત્વ રમણતામાં ચંદ્રમા સમાન છે અથવા મુનિચંદ જિણંદ-જિન તે જિન સામાન્ય કેવળીમાં ચંદ્રમા સમાન, અમંદ એટલે દેદીપ્યમાન, દિણંદ સૂર્ય તેની પર શોભી રહ્યું છે તેજ છું જેનું તથા સુખનો જ સમૂહ છે. આત્માના અનંત ગુણો છે, તેમાં મુખ્ય ગુણ - અસાધારણ ગુણ હું ઉપયોગ છે. તે ઉપયોગમાં પ્રથમ જ્ઞાન ગુણ છે. માટે તેની પ્રથમ ત્રિવિધતા કહે છે. નિજજ્ઞાને કરી શેયનો, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે..મુ. ૨ : આત્માના અસંખ્યાત પ્રદેશ નિષ્ઠિત જ્ઞાનગુણ, કેવળજ્ઞાન તે આત્માનો સ્વગુણ છે, સર્વ વિશેષનો જાણંગ છે, તેથી પોતાના જ્ઞાન ગુણે કરીને જાણે એટલે જ્ઞાન-જાણવારૂપ કાર્યનું કારણ થયું, સર્વ જ્ઞેય પદાર્થોના જ્ઞાયક છે, તેથી જ્ઞાતાપદના સ્વામી છો. તે જ પ્રમાણે નિજ દર્શન - 3 કેવળદર્શન દ્વારા જોવા યોગ્ય પોતાની સર્વ સંપદા - જેમ કે અસ્તિત્વ, દ્રવ્યત્વ, વસ્તુત્વ આદિને જુએ છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્યોમાં રહેલા ૯૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy