SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના જેવા ગુણો પ્રગટાવે છે તે જ આત્માના અવ્યાબાધ સુખને જાણે છે કે ભોગવે છે. એમ અનંત દાનાદિક નિજગુણ, વચનાતીત પંદુરજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. ... શી. ૯ એમ અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય વિગેરે મુખ્ય ગુણો હે પ્રભુ આપે પ્રગટ કર્યા છે. જે વચનથી કહી શકાય તેમ નથી. (પંડુર એટલે મોટા-મુખ્ય) આપની શ્રદ્ધા, જાણપણું તે પામવું દુર્લભ છે તેથી પ્રગટપણે એવી સિદ્ધતા મેળવવી તે તો ઘણી જ દૂર છે. સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન-ગુરુ, જાણું તુજ ગુણગ્રામજી; બીજું કાંઈ ન માંગુ સ્વામી, એહિ જ છે મુજ કામજી..શી. ૧૦ હે ભગવંત!પ્રત્યક્ષ એવા ત્રણે લોકના ગુરુ મારી આપને એક પ્રાર્થના હું શું છે કે “આપના સર્વ ગુણોને હું પ્રત્યક્ષપણે જાણી શકું” તેમ કરો. એમ અનંત પ્રભુતા સદહતાં, અર્થે જે પ્રભુરૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી.... શી. ૧૧ એ પ્રમાણે શ્રી અરિહંત પ્રભુજીની અનંત પ્રકારની પ્રભુતાને શ્રદ્ધીને { આદર બહુમાનપૂર્વક જે દ્રવ્યથી અને ભાવથી ભક્તિ કરે છે તે અવશ્ય છે દેવોમાં ચંદ્ર સમાન ઉજ્વળ અને પરમાનંદમય એવી પ્રભુતાને પામે શું છે એમ દેવચંદ્રજી મ.સા. ફરમાવે છે. $ ૧૧. શ્રી શ્રેયાંસ જિન સ્તવન શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે; ગુણ એક વિધ ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો વૃંદ રે. મુનિચંદ જિર્ણોદ અમંદ દિગંદ પરે, નિત્ય દીપતો સુખકંદ રે... ૧ શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી ૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy