SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, તેથી દ્રવ્યની વર્તના તે કાળ, ૪.દ્રવ્યનો મૂળધર્મ તે ભાવ એ ચાર રાજનીતિ છે. એ વીતરાગ પ્રભુની ચાર પ્રકારની રાજનીતિ એટલે પ્રરૂપણા છે. હે પ્રભુ! આપ આપના જ્ઞાનમાં જે રીતે સર્વ દ્રવ્યની પરિણતિ છે તે પ્રમાણે પરિણમન કરવાને આપ કોઇને કહેતા નથી કે ત્રાસ પણ આપતા નથી, ભય પમાડતા નથી, છતાં તેઓ આપની જે જ્ઞાન પરિણતિ છે તેને લોપીને પરિણમન કરતા નથી. . ' શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખધામજી. . શી. ૩ જે સાધક શુદ્ધ આશય સહિત, મન, વચન, કાયાના યોગોને સ્થિર ; ; કરીને, શંકાદિ ચપળતા રહિત થઇને પોતાના ઉપયોગને પ્રભુના ગુણોમાં છે જોડીને પરમ સમતામયી એવા પ્રભુનું ધ્યાન કરે, તે અનંત અવ્યાબાધ કે પરમ સુખને પ્રાપ્ત કરે છે. આ સુખ પરમ ઉત્કૃષ્ટ અમૃત અવિનાશી સહજ જ્ઞાનાનંદાદિક અનંત સુખનું ધામ છે. આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંતગુણ ભૂપજી.... શી. ૭ પ્રભુતાના લિંગ આણાદિક છે એટલે કે પ્રભુતા મેળવવી હોય તો શું આજ્ઞા આદિ તેના સાધનો છે. હે પ્રભુ ! આપની આજ્ઞા, ઐશ્વર્યતા, નિર્ભયતા, નિસ્પૃહતા, અવિનાશતા વિગેરેમાં લીન છો. તે ભાવ જતા નથી, ખંડિત થતા નથી. આમ અનંત ગુણોના આપ રાજા છો. અવ્યાબાધ સુખ નિર્મળ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી; તેહજ એહનો જાણંગ ભોકતા, જે તુમ સમ ગુણરાયજી..શી. ૮ પરમાત્માનું જે અવ્યાબાધ સુખ, નિર્મળતા વિગેરે ઇન્દ્રિય જ્ઞાનથી થતા પરોક્ષ જ્ઞાન દ્વારા અનુભવી કે જાણી શકાતું નથી. પરંતુ જે ૯૬ વીર-રાજપથદશિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy