SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ હું તાહરો હો લાલ, દા. કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હો લાલ. અ. આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો હો લાલ, સ. ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હો લાલ. ચ. ૫ હે પ્રભુ આપ ત્રણે ભુવનના નાથ છો, સ્વામી છો અને હું આપનો દાસ છું. હે કરુણાસાગર ! મારો ખરેખરો મનોરથ છે કે મારે ! જે આત્મસ્વભાવ, જે વસ્તુ સ્વરૂપે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણમય છે તેનું મને સદા સ્મરણ રહો. હે પ્રભુ પ્રતીતિ, શ્રદ્ધા, વિશ્વાસ અને તન્મયતાપૂર્વક ૨મણતા પણ મારા સ્વભાવની જ થાઓ. એ જ મારો હવે સદાનો મનોરથ છે, તે મને ધ્યાનથી પ્રાપ્ત થાય. એ જ મારી એક અભિલાષા છે. જ પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે હો લાલ, પ્ર. દ્રવ્ય તણે સાધર્મ્સ, સ્વ સંપત્તિ ઓળખે હો લાલ. સ્વ. ઓળખતા બહુ માન, સહિત રુચિ પણ વધે હો લાલ, સ. રુચિ-અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લા. ચ. ...૩ સંપૂર્ણપણે જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એવા ભગવંતની મુદ્રા જોવા વડે પ્રભુની પૂર્ણ શુદ્ધ ગુણ પર્યાયમય એવી પ્રભુતાની ઓળખાણ થાય છે. તેમ થતાં જીવ દ્રવ્યપણાના સાધર્મથી તેને પોતાની સ્વસંપત્તિઆત્મગુણોરૂપ સંપત્તિની પ્રતીતિ થાય છે, ઓળખાય છે. એટલે કે પ્રભુમાં જેટલા ગુણો પ્રગટ્યા છે તે મારામાં પણ રહેલા છે, અને પ્રભુ જેટલી સંપદાનો હું ધણી છું એમ ઓળખાણ થતાં તે સંપદા ઉપર બહુમાન આવે અને તેને પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટે, કે તેવી સંપદા મને ક્યારે પ્રગટશે ? જેની રુચિ હોય તે પ્રમાણે ક૨વાનો પુરુષાર્થ થાય અને તેથી પોતાના વીર્યગુણનું સ્ફુરણ પણ તે રુચિને અનુસરીને થાય. એટલે તે પ્રમાણે રુચિ અને વીર્ય સ્ફુરે અને ચારિત્ર ૨મણતા તે સાધ્ય થાય. શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૯૩ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy