SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો અદ્ભૂત યોગ, સ્વરૂપતણી રસા હો લાલ, સ્વ. વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ. જા. ૩ દાનાદિક ગુણો જે આત્માના ભાવો છે તે ગુણો પરાધીનપણે એટલે કે કર્મની વર્ગણાથી અનાદિથી પુદ્ગલ અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની દશા - વીતરાગ દશાનું આલંબન પામી આત્મ સન્મુખ થયા છે એટલે કે બાહ્ય નિમિત્ત અવલંબી દાનાદિક ગુણો સ્વરૂપ અવલંબી બન્યા છે. હે ભગવંત – પરમાત્મા તારો યોગ થવાથી, તારી ઓળખાણ થવાથી સ્વરૂપની રત્નત્રયીરૂપ ૨સા-ભૂમિકાની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ થઈ. આવી ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઈ શકે કે જેનામાં હે પ્રભુ ! તારા જેવા ગુણ પ્રગટ્યા છે. અને તે જ તારો માર્ગ બતાવી શકે છે. ૯૨ મોહાદિકની ઘૂમિ, અનાદિની ઊતરે હો લાલ, અ. અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ. સ્વ. તત્ત્વ રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, ભ. તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ. સ્વા. ૪ તે વિભાવ-મોહની ઘૂમિ (મૂર્છારૂપ), વંટોળ એટલે મોહરૂપી વંટોળ નાશ થાય ત્યારે અમલ-રાગદ્વેષ રહિત, અખંડ-ખંડપણાને પામે નહીં તેવી, અલિપ્ત-પરસંગના લેપરહિત એવો જે સ્વભાવ છે તે ભાસે અનુભવમાં આવે. આવો જે આત્મા ઓળખાય - અનુભવાય ત્યારે તે સાધક આત્મા, પોતાનું તત્ત્વ જે શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુ સ્વભાવ તેમાં રમણતા કરે, પોતાના જ્ઞાનાદિ અનંત ગુણમાં ૨મણતા કરે, એ જ તત્ત્વ રમણતા (ચારિત્ર) પ્રગટે પછી શુચિ એટલે પવિત્ર નિર્મલ ધ્યાન દ્વારા ધર્મધ્યાન ધ્યાયીને સત્તાગત તિરોભાવીનું ભાસન એકત્વ શુકલ ધ્યાનને આદરે તે સાધક સર્વ વિભાવનો ક્ષય કરીને પરમ સમતારસને પામ્યા છે એવા ભગવંત તેમના જેવી વીતરાગ અવસ્થા-મુદ્રા પામી નિર્મલ થાય. Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy