SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હો લાલ, થ. સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી હો લાલ. વ્ય. હવે સંપૂરણ સિદ્ધ, તણી શી વાર છે હો લાલ, ત. દેવચંદ્ર જીનરાજ, જગત-આધાર છે હો લાલ. જ. . ૭ 33 હે પ્રભુ!મારા ક્ષાયોપથમિક ગુણો તમારા ગુણના રસિયા થયા ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે પોતાની આત્મશક્તિ-આચ્છાદિતપણે રહેલી હતી તે વ્યક્તપણે – પ્રગટપણે ઉલ્લસિત થઈ છે. એટલે કે હે ! પ્રભુ! તારા આલંબન દ્વારા મારું ઉપાદાન જાગૃત થઈ જાય છે. તેમ છું હું થતાં સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે ! એટલે કે હું જ્ઞાનીપુરુષના પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાવલંબી બનેલો સાધક | હું નિશ્ચયથી સિદ્ધિને પામે છે. દેવોમાં ચંદ્ર સમાન એવા હે જિનેશ્વર ભગવંત આપ જ જગતના જીવોના આધાર છો, પ્રાણ છો, શરણ છો. ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી..... શી. ૧ હે શીતલનાથ જિનેશ્વર ભગવંત ! આપની પ્રભુતા એવી છે કે તે મારાથી કહી શકાય તેમ નથી. કારણ કે આપે પ્રાપ્ત કરેલી અનંતતા, નિર્મળતા, પૂર્ણતાનું પૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયા વગર જાણી શકાતું નથી. ચરમજલધિ જલમિણે અંજલિ, ગતિ જીપે અતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી.... શી. ૨ | કોઈ ચરમ જલધિ એટલે સ્વયંભુરમણ સમુદ્ર, તેનું પાણી અંજલી # વડે માપી શકે, અથવા કોઈ એવો પણ જે પ્રચંડ ગતિવાળા વાયુને ( જીતી શકે, કે પગે ચાલીને લોકાલોક રૂપ આકાશને ઓળંગી જાય, ૯૪ વીર-રાજપથદરૈિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy