________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
પ્રગટી જાય એમાં સંશય નથી. પણ આ નિરાધારપણે બની શકે તેમ નથી. તેને માટે સદ્ગુરુ-સત્પુરુષનું સાનિધ્ય શોધવું પડશે, તેમની આશ્રયભક્તિને સ્વીકારવી પડશે અને તેમની જે કંઈ આજ્ઞાઓ થાય, તે સહજપણે, શંકારહિતપણે સ્વીકારવી પડશે અને તે જ પ્રમાણે પુરુષાર્થ કરી ઉદાસીનતા પ્રગટાવવી પડશે ત્યારે તેના ફલ સ્વરૂપ નિર્લેપતાઅસંગતા પ્રગટ થશે.
૭૪
(૩) “જુના કર્મના ઉદય વખતે વિભાવ પરિણતિથી નવાં કર્મ બંધાય છે.’’ (૪) “નવા કર્મ ન બંધાય એ જ જોવાનું છે. અને તે સ્વભાવ પરિણતિ વગર અશક્ય છે.’
ન
આપણે પૂર્વે અજ્ઞાનભાવે રહીને ઘણા પ્રકારના કર્મોનું બંધન કરેલ છે. તે કર્મોનો ઉદય પ્રાપ્ત થવાથી ઉદયમાં આવે છે, ત્યારે જીવ એમ માને છે કે આ મને થયું અને તેમ થતાં ગમતી વાત હોય તો રાગ થાય છે અને અણગમતી વાત હોય તો દ્વેષ થાય છે. જેના કારણે જીવાત્મા નવા કર્મનું બંધન કરે છે. આમ તો અનાદિકાળથી થતું આવ્યું છે, હજી પણ થતું રહ્યું છે. આનું કારણ આસ્રવભાવમાં જ રમણતારૂપ સ્થિતિ રહી છે તે છે.
પણ હવે નવા કર્મ ન બંધાય તે માટે જાગૃત થવાનું છે અને જાગૃત થવા માટેના સાધન સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે, તેમની આશ્રયભક્તિ પ્રાપ્ત થઈ છે અને આસવ પરિણતિ તોડવા માટેના માર્ગનું પ્રદાન તેમના દ્વારા આપણને થયેલું છે. તો તે માર્ગનું આરાધન કરીને પોતાના આત્મસ્વભાવને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જો આપણે સ્વભાવને પ્રગટ કરી શકીએ, સમ્યગ્દર્શનને પ્રગટ કરી શકીએ તો નવા કર્મના બંધનને અટકાવી શકવાની શક્તિ આપણને પ્રાપ્ત થઈ જાય. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી જીવ સહજતાથી ઉદયની સામે સમતા ધારણ કરી શકે, તે ઉદયની ઉપેક્ષા કરી શકે કે તેનો જાગૃતપણે દ્રષ્ટા થઈ શકે. તે ભાવોથી ઉપર ઊઠી શકે. આમ થવાથી આપણામાં ઉદાસીન પરિણતિ પ્રગટે, તેના કારણે આપણામાં અસંગતા પ્રગટતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org