SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય તથા અસત્ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મ વિચારણા થવાથી આત્મજ્ઞાન થાય છે. એટલે કે સમ્યક્ત્વ પ્રગટે છે. સમ્યક્ત્વ પ્રગટવાથી ચારિત્ર પ્રગટે છે અને ક્રમેક્રમે આગળ વધતાં ચારિત્ર યથાખ્યાત ચારિત્રમાં પરિવર્તિત થતાં કે પ્રગટતાં વીતરાગતા પ્રગટે છે એટલે કે કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટવાથી જીવનો તે જ ભવના અંતે મોક્ષ થાય છે. એમ જોવામાં આવે છે. પૂર્વના જ્ઞાનીઓનો પણ એવો જ અનુભવ છે. ` (૧૩૨) આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આખે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તે દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ (વ્યા.સા.૧/૨૨૨-પા.-૬૭૧) ૭૧ આપ્ત એટલ સર્વજ્ઞ-સર્વદર્શી, પૂર્ણ વીતરાગ અથવા વાણી દ્વારા દરેક પદાર્થના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આપ્તના ઉપદેશ દ્વારા જે વચનો શ્રુતરૂપે બહાર આવ્યા, તેનો જેમાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે આગમ છે અને તે આગમ અનુસાર આચરણ કરવાવાળા અને આપ્તે દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ (૧૩૩) જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. (વ્યા.સા.૨/૧-૪/પા.-૭૬૨) જ્ઞાનીપુરુષના વચનો જ્ઞાન અને વૈરાગ્ય વાસિત હોય છે. જેથી તે વચનોને અંતરમાં ધારણ કરવાથી આપણામાં રહેલ વિષયના ઝેરને બહાર કાઢનારાં છે. જેમ પેટમાં અજીર્ણ થઈ ગયું હોય તો ઉલટી કરાવવામાં આવે છે, જેથી પેટ હળવું થઈ જાય. તેમજ જ્ઞાનીના જ્ઞાન અને તેમના વૈરાગ્યલક્ષી વચનો વિષય ભાવનું વિરેચન કરાવનાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy