SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય પછી પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. (પા.૭૩૩)...સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. (પા.-૭૩૪/ઉ.છા.-૧૪) (૧૨૭) બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છદપણું વિલય થાય છે. (વ્યા.સા.૧/૪૯-૫ા.-૭૪૧) જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો એ આજ્ઞામાંથી બહાર નીકળી જાય તો અટકી જાય. આમ જોવા જઈએ તો સાતમા ગુણસ્થાનક પછી કોઈ બાહ્યક્રિયા કરવાની રહેતી નથી. ફક્ત વિચારધારા-ચિંતન ઉપર જ માર્ગ રહેલો છે. સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી પહોંચવા માટેની વિચારધારા છે તે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ગુરુ પાસેથી વિચારણા-ચિંતન માટે જે શ્રુત પ્રાપ્ત થાય એ શ્રુતના અવલંબન વડે જ તેરમા ગુણસ્થાનકે પહોંચવાનું છે. જો એ શ્રુતનું અવલંબન છોડી દે એટલે કે ગુરુની આજ્ઞા બહાર થઈ જાય તો તેને અટકવાનું થાય છે. એટલે જ બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે એમ કહ્યું. તેમ કરવાથી ‘હું જાણું છું’, ‘હું સમજું છું' એ સ્વચ્છંદનો નાશ થાય છે. જ્યાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી સ્વચ્છંદ નાશ પામતો નથી. આને માટે પુરાણોમાં શુકદેવજીનો દાખલો આપવામાં આવ્યો છે. (૧૨૮) જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમજ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી. કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મ બંધ ન થાય. (વ્યા.સા.-૧/૦૩/પા.-૭૪૪) જ્ઞાની જે માર્ગે સાધના માટે ચાલ્યા છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy