SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ મત દર્શન આગ્રહ તજી, વર્તે સગુરુ લક્ષ; લહે શુદ્ધ સમતિ તે, જેમાં ભેદ ન પક્ષ.-૧૧૦ તે જિજ્ઞાસુ જીવને જો સગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વર્તે, મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી.” (પા.-૫૫૩) (પત્રાંક-૭૧૮) - ઉપરોક્ત ગાથાઓમાં સદ્દગુરુ શરણ, પ્રત્યક્ષનું માહાભ્ય, જિનેશ્વરનું સ્વરૂપ કેમ જણાય, માનનો નાશ કેમ થાય, જિજ્ઞાસુ જીવને શું ફાયદો થાય, મત-દર્શનનો આગ્રહ તજવાથી શું ફાયદો થાય, તો કહે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આ પ્રકારના માહાભ્યની વાતો કરવામાં આવી છે. તેમ વર્તવાથી જીવ સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકે છે. (૮૪) સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. (પ.-૭૧૯/પા.-પ૫૮) ૫. દેવ લખે છે કે : “અમે જે આ વચન લખ્યાં છે, તેની સર્વ જ્ઞાની પુરુષોએ સાક્ષી આપેલી છે. તેમાં તેઓ કહે છે કે જેઓ સપુરુષની આજ્ઞામાં વર્તવાનો દઢ નિશ્ચય કરીને તે પ્રમાણે વર્તે છે, તે પ્રમાણે પુરુષાર્થ કરે છે, તેને જ જ્ઞાન સમ્યફ પરિણામવાળું પ્રગટે છે. આ વાતને જે આત્માને ઓળખવા માટેનો પુરુષાર્થ કરવા માંગે છે તેણે ખાસ અને અવશ્ય લક્ષમાં રાખીને ચાલવું જરૂરી છે. જેથી સાધક પોતાના લક્ષ તરફ સહેલાઈથી આગળ વધી જાય છે. (૮૫) રાગદ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્ર માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પ.-૭૩૬/.-પ૬૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy