SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય માટે આગળ પણ જ્ઞાનીપુરુષનો આશ્રય જ મુખ્ય સાધન છે. તેમજ સંપૂર્ણ દશા પ્રગટ થતાં સુધી જ્ઞાનીપુરુષનો આશ્રય કરીને વર્તવું એ જ શ્રેયનું કારણ છે, જો તે આશ્રયનો ત્યાગ કરવામાં આવે તો જીવને પતિત થવાનો ભય રહેલો છે. એમ પૂર્ણજ્ઞાની એવા જિનેશ્વરે જોયેલ છે. માટે આ શિક્ષા આપવામાં આવી છે. (૬૯) ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતર કરવો શ્રેયભૂત છે. (૫.-૫૯૩/પા.૪૬૨) ૪૫ ગ્રંથિભેદ ક૨વા માટે અતિ બળવાનપણે પોતાનો પુરુષાર્થ ફોરવવાનો છે. તે માટે જીવે પ્રતિદિન સત્સમાગમ થાય તો કરવાનો છે, સદ્વિચારણા પણ કરવાની છે અને તે માટે સદ્રંથનો પરિચય નિરંતર કરવો એ જ શ્રેયરૂપ છે. (૭૦) અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે. (૫.-૬ ૪૭ પા.-૪૮૬) નિર્વાણ માર્ગ અગમ (ગમ ન પડે તેવો), અગોચર (વાણીથી કહી ન શકાય તેવો છે) એમાં સંશય નથી અને પોતાની શક્તિ વડે સદ્ગુરુના આશ્રયને સ્વીકાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો તે શક્ય બનતું નથી. માટે સદ્ગુરુ આશ્રયને સ્વીકારીને આગળ વધવા પુરુષાર્થ કરવાથી માર્ગ સહેલો બની જાય છે. (૭૧) દશ્યને અદશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. (૫.-૬૪૮/પા.૪૮૬) ઉપરના આંક (૭૦)ની જ મહત્તા અહીં દર્શાવી છે. સદ્ગુરુના આશ્રય વગર આ સ્થિતિ પ્રગટાવવો મુશ્કેલ અથવા અશકય જેવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy