SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પડીને જ્ઞાનધારામાં જ રહેવાનો પુરુષાર્થ કરે અથવા પૂર્વે બંધાયેલા કર્મોના ઉદયને સાક્ષીભાવે જોયા કરે તો નવા કર્મનું બંધન થાય નહીં. નવા કર્મનું બંધન અટકી જાય તો જૂના કર્મ તો સતત ઉદયમાં આવી રહ્યા છે તે તેનો ભાગ ભજવીને ખરી જાય એટલે કર્મધારા મંદ અને મંદ થતી જાય. જ્ઞાનધારા બળવત્તર બનતી જાય. તેથી સાક્ષીભાવ વધતો જાય અને અસંખ્યાત કર્મોની નિર્જરા જીવ ક્ષણવારમાં કરી નાખે તેવી શક્તિ આવિર્ભાવ પામી જાય. (૩૪) “મન અને અંતઃકરણ શુદ્ધ હોય તો નિરાકુળતા રહે.” જયાં સુધી આપણું મન મલિન છે, ત્યાં સુધી અંતઃકરણમાં પણ કષાયોરૂપી મલિનતા રહેલી છે. જો આપણે મનને કાબૂમાં લઈ શકીએ તો તેના ઘોડા દોડતા અટકી જાય. ઉધામા શાંત થઈ જાય તો અંતઃકરણમાં પડેલા મલિન કષાયોનો જથ્થો પણ ઘટતો જાય અને શુદ્ધતાનો અનુભવ અંદરમાં પ્રગટ થવા માંડે. તેથી ઉદયને અનુસરી જે આકુળતા-વ્યાકુળતા થતી હતી તે શાંત થવા માંડે છે, કદાચ ઉદય કર્મના કારણે આકુળતા આવી જાય તો પણ વ્યાકુળતા ન આવે તો નવા કર્મ ન બંધાય. એટલે કે મન શાંત થતું જાય અને અંતઃકરણ પણ કષાયોની મલિનતારૂપ કચરો ઘટવા માંડવાથી શુદ્ધ થતું જાય. જેટલા પ્રમાણમાં મન અને અંતઃકરણ શુદ્ધ થાય તેટલા પ્રમાણમાં નિરાકુળતા પ્રગટે અને નિરાકુળતાના સુખનો ભોગવટો થઈ શકે. મન સંપૂર્ણપણે આત્મા સાથે ભળી જાય તો અંતઃકરણ પણ શુદ્ધ બની જશે જેથી અખંડપણે નિરાકુળતાનો ભોગવટો જીવાત્મા એટલે કે આપણે કરી શકીએ અને આપણી સાધનાનો મુખ્ય હેતુ કે પાયો આ જ છે. નિરાકુળતા પ્રગટતા સમતા-સમાધિભાવ પ્રગટી જાય છે જેથી જીવ ક્રમે ક્રમે તેના સહારે સંપૂર્ણ કર્મ રહિત બનીને અંનત અવ્યાબાધ સુખનો ભોગવટો કરવારૂપ નિર્વાણની સ્થિતિને પામી જાય. (૩૫) “તત્ત્વદેષ્ટિ થાય નહીં ત્યાં સુધી બાહ્યદૃષ્ટિ જાય નહીં.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy