SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી, અને તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે' એ યોગીરાજ આનંદધનની ઉક્તિની યથાર્થતા સમજાવે એવો હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્વગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું અત્યંતર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવી શક્યા હતા. તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈનસંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પયગામ ગાજતો કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણે પણ પોતાનો માર્ગ બદલ્યો અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરણા અને વૈરાગ્યની ભાવનાનો વારસો મળેલો જ હતો. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની મૈત્રી અને અર્વરની સંસ્કૃતિ ખૂબ ગમી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતનો પ્રદેશ બહુ અનુકૂળ આવી ગયો. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જયોતિર્ધરો સમયે સમયે ગુજરાતની ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની સરિતાને સદા વહેતી રાખતા રહ્યા, તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિરત્ન શ્રીપુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મપુરુષ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના શકવર્તી કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે એવું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005554
Book TitleGyanjyotini Jivanrekha
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy