________________
શ્રી વચનામૃતજી
આ શરીર જે પુદ્ગલ છેએના સ્કંધ છે, એ જડ છે. એ એનો સ્વભાવ છે; એ કોઈ દિવસ છોડે નહીં. એ જડ ભાવે જ એની પરિણતિ હોય અને આત્માનો સ્વભાવ ચેતન છે, એ પોતાનો જે ચેતન ભાવ છે એ છોડે નહીં. કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ ક્યારે પણ છોડે નહીં. સ્વભાવ છોડીને બીજામાં ભળી જતા નથી. ૧
જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવરૂ૫ છે, સંશય તેમાં કેમ ? ર જડ છે એ ત્રણે કાળે જડ છે, ચેતન છે તે ત્રણે કાળે ચેતન રહે. આવું આપણે ધારીએ તો અનુભવ કરી શકીએ. પૂર્વે થઈ ગયેલા મહાત્માઓએ આ અનુભવ કર્યો છે, એમાં સંશય કેમ ? આ મોટા માણસોએ કહ્યું તે માનવું પડશે. અમારા ગુરુદેવ પૂ. છોટાભાઈ પાંચ માણસો વચ્ચે સમજાવવા બેસે તો એ આમ ઊભા પગે બેસતા, એક પગ ઊભો અને એક પગ નીચો. પણ એ સમજાવતાં એમને જોશ આવી જાય તો અહીંથી ત્યાં સુધી પહોંચી જાય. તેઓ કહે કે આવો બાઘડા જેવો આત્મા બેઠો છે એ તમને કેમ દેખાતો નથી ? ભાઈ તમને દેખાય, પરંતુ એમ બધાને દેખાતો હોત તો બધાને જ્ઞાન થઈ જાત. એ એમ દેખાય નહીં. ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.” એ દૂહ કોઈ કહેતો હોય તો એને અનુભવ થયો હશે એટલે કહે છે. એટલે કાંઈ બધાને થઈ જાય ? એમ આ કહે છે કે પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ?” હા, અનુભવ થાય ત્યારે તે ચોક્કસ દેખે. ૨
જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ પ્રશ્ન છે કે જો જડ જડ જ હોય અને ચેતન ત્રણે કાળ ચેતન હોય તો પછી આપણે આ બધો પુરુષાર્થ કરીએ છીએ તો એ પુરુષાર્થનું કાંઈ ફળ ખરું કે નહીં ? જો એ ફળ ન હોય તો બંધ નથી, મોક્ષ નથી, નિવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી એમ એ આખું ઊડી જાય. (૩) કૃપાળુદેવ તેનો જવાબ નીચે પ્રમાણે આપે છે કે –
બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન;
પણ નહીં ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ અનાદિથી થયો છે, તેથી આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી તે સંયોગને કારણે અથવા સંયોગ થકી કર્મ બંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને જડ એટલે “હું” એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે. તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org