________________
શ્રી વચનામૃતજી
વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત.
✩
૨૧૧
‘સત્’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે.
‘સત્’ જે કંઈ છે, તે સત્ જ છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે, તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણતિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈપણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. ‘સત્’ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર’ (આર્થે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી, એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો, વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો, એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈપણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં ‘સત્’ જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.
૨૧૩
પૂ. સોભાગભાઈ ઉપર લખેલો આ પત્ર છે.
૪૯
પુરાણપુરુષને નમોનમઃ
Jain Education International
આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે.
આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. આપણને એવું લાગે છે ? આપણને તો એ બહુ મીઠો લાગે છે. સાકર જેવો કે શેરડીના રસ જેવો મીઠો લાગે છે. તો કૃપાળુદેવ જે આ લખે છે એ સાચું ? કે આપણે માનીએ છીએ એ સાચું ?
For Personal & Private Use Only
www.jainelibrary.org