________________
શિક્ષામૃત
તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિગ્રંથતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી. આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે : એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ (પૂર્વનાં કર્મનો) અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ.
આ બીજો જેટલો વખત થાય એટલો વખત એમાં નવાં કર્મ બંધાય.
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે.
૩૨૮
તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે, કેમ કે ઉદય વિભાવક્રિયાનો છે અને ઇચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે.
તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષકાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ (સમય) ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે.
જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે, અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે, એમ લાગે છે, કેમકે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયો નથી, તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે; એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલભાવ ઉત્પન્ન થશે.
જ્ઞાનીપુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવર્તે છે.
દેહાદિ એટલે એ દેહ વિગેરેનો સંસાર, એમાં પ્રવૃત્તિ કરી હોય તો
એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવો ન જોઈએ; એ માટે એ વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે, એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, કેમ કે જ્ઞાનના તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે.
અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય (જેનું પુણ્ય હણાઈ ગયું છે એવા) લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org