SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આખી પૃથ્વીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય, એવી શ્વેત થઈ જાય છે. પણ કાંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, તો આ દેહમય ક્યાંથી થાય ? સદાસર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. એમ જીવતો જાગતો જ સદા રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. શિક્ષામૃત એકમેકપણું માને છે. એ ચંદ્ર અને ભૂમિ એકમેક થઈ જાય ? સૂર્યનો પ્રકાશ અને ભૂમિ એકમેક થઈ જાય છે ? નહીં. તો આ હું અને મારું જે માને છે એ જ ભ્રાંતિ છે. હું એટલે આ શરીર અને એના બધા સગા, એની મિલકત વિગેરે મારું એ જ અજ્ઞાન છે: ભ્રાંતિ છે, ભ્રાંતિ એટલે દર્શન મોહ, ભ્રાંતિ એટલે અવિદ્યા, ભ્રાંતિ એટલે મિથ્યાત્વ. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે. તેમ સમ્યક્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. આ આકાશ છે. મારો હાથ ફરે છે એ આકાશ છે. આકાશમાં દુનિયા સમાઈ શકે. આકાશને કોઈ વાસના નથી. કાળી મસ તેમાં ઉડાડો તો આકાશ લેપાય ? ના. તેવો જ આત્મા સમ્યગ્દષ્ટિ પુરુષોએ જોયો છે, દીઠો છે, અનુભવ્યો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ (સ્વભાવમાં) જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. વ્યાવૃત્ત કરી એટલે પાછી ખેંચી લઈ, કોઈમાં જીવ રાખવો નહીં પોતાનો જેટલો પરદ્રવ્યમાં મોહ છે તેનો નાશ કરી પોતાની વૃત્તિઓ બધેથી પાછી ખેંચી લેવી. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું; એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005553
Book TitleShikshamrut
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy