SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૮૧ સાધનાર છે૨૫” (૨.૪.૩). એ દૃષ્ટિએ દંડનીતિવિદ્યાનો પાકો સ્થાયી અમલ બાકીની ત્રણ વિદ્યાનાં શિક્ષણ, પ્રસાર અને પ્રયોગ માટે જરૂરી છે. જો દંડનીતિ દ્વારા શાંતિપૂર્ણ, રચના-તત્પર સમાજ સ્થપાય તો જ માનવતાપોષક, જીવનપોષક, સત્ય-શિવ-સુંદરતાપ મહામૂલ્યોની ઉપાસક અનેક સ્થાયી વિદ્યાઓનું ખેડાણ શક્ય છે એ વ્યવહારુ વાત નકારી નહિ શકાય. આ વાતનો એ અર્થ પણ થયો કે દંડનીતિ તો સરવાળે પ્રજાનું સ્વયંભૂ રચનાત્મક જીવન પોષવા માટેનું સાધન છે, અને નહિ કે પ્રજાનાં પીડન-શોષણનું સાધન – જેવું ‘વૈશ્વિકીકરણ” અને “ઉદારીકરણ' એવાં છેતરામણાં નામોથી આજની નઘરોળ સરકારો કરી રહી છે. વળી બીજી બાજુ, આપણે હમણાં જ જોયું તેમ, કૌટિલ્ય અને સમસ્ત પ્રાચીન ભારતીય ચિંતન-પ્રણાલીઓએ દંડનીતિ સહિત સર્વ અન્ય વિદ્યાઓ માટે માર્ગદર્શક વિદ્યા તરીકે તો આન્વીક્ષિકી(દર્શનવિદ્યા)ને જ નવાજી છે. આમ સૌથી વધુ વ્યવહારોપયોગી વિદ્યા દંડનીતિ અને સૌથી વધુ કલ્યાણસાધક વિદ્યા આન્વીક્ષિકી – એવો સમન્વયકારી વિવેક કૌટિલ્ય દાખવ્યો છે. બસ, એવો જ અભિગમ ધર્મ-અર્થ-કામ પુરુષાર્થોના પારસ્પરિક સંબંધને સમજવા બાબત કૌટિલ્ય દાખવ્યો છે. ધર્મ એટલે સદાચાર, વ્યવહારશુદ્ધિ, ઈશ્વરનિષ્ઠા વગેરે. અર્થ એટલે જીવનનિર્વાહનાં સર્વ સાધનો, દ્રવ્યો, સેવાઓ. કામ એટલે વ્યક્તિગત, પારિવારિક કે સામાજિક કક્ષાએ જીવનને માણીને આનંદયાત્રારૂપ બનાવવાની શક્તિ, અને એ આનંદની વિકસિત પ્રવૃત્તિરૂપે લલિતકલાઓનું સર્જન અને ભાવન. “કામ” એ પરિપુઓમાં સ્થાન પામવા છતાં અભિગમભેદે ઉચ્ચ પુરુષાર્થ પણ ગણાયો – જો તે ધર્મ અને અર્થ સાથેના અવિરોધ અને સુસમન્વય દ્વારા સેવાય તો. કામની દોષરૂપતા ટળીને તેની ગુણરૂપતા નિખરે તેવી કુશળતાની ખિલવટ તે કામપુરુષાર્થ. આ ત્રણ પુરુષાર્થોના પારસ્પરિક સંબંધ કે અગ્રતાક્રમ અંગે એક મત એવો છે કે ત્રણેયનું સેવન સમાન રીતે કરવું. તો “મહાભારતમાં આવતા એક સાવિત્રી-મંત્રરૂપ ગણાતા શ્લોક મુજબ ધર્મમાંથી જ અર્થ અને કામ સિદ્ધ થાય છે, માટે ધર્મ સેવનયોગ્ય મૂળ પુરુષાર્થરૂપ બતાવાયો છે (ધર્માદ્રર્થગ્ર મશ સ મિર્થ ન સેવ્યસ્ત છે. ત્યારે કૌટિલ્ય પોતાના મૌલિક ચિંતન મુજબ આ મતોને સદોષ ગણીને સાવધતાથી કહે છે : “અર્થ જ પ્રધાન છે એમ કૌટિલ્ય કહે છે; કારણ કે ધર્મ અને કામ અર્થમૂલક (અર્થના આધારની અપેક્ષા રાખનાર) છે.૨૬” જીવનનિર્વાહનાં સાધનો વગર ધર્મ કે કામ પુરુષાર્થો આચરી શકાતા નથી એ તો અનુભવસિદ્ધ નિર્વિવાદ વાત છે. આમ, જેમ ચાર વિદ્યાઓમાં વ્યવહારદષ્ટિએ (સર્વ વિદ્યાઓના રક્ષણની દૃષ્ટિએ) કઈ વિદ્યા ઉત્તમ તેનો ઉત્તર આપવામાં કૌટિલ્ય કુશળ વલણ અપનાવ્યું, તેમ તેવું જ અદોષ વલણ આ ચર્ચામાં પણ બતાવ્યું છે. આ જોઈ કોઈને ઉપરટપકે જોતાં સામ્યવાદના ગુરુ માનો મત કદાચ યાદ આવે. પણ બંનેમાં પાયાનો જ ફેર છે. અહીં અર્થપુરુષાર્થને ધર્મ અને કામની પૂર્વભૂમિકારૂપે, પોષકરૂપે જોયો છે; જયારે માર્ક્સ તો ભ્રાંતિના માર્યા નર્યા ભૌતિકવાદી બની રહ્યા છે. તેમને મન ધર્મ તો એક જાતનું અફીણ હોઈ ત્યાજ્ય છે ! કૌટિલ્ય તો અર્થની કિંમત ઉચ્ચતર મૂલ્યોના આરાધક સાધન તરીકે જ કરે છે. આ રીતે આડકતરી રીતે “મહાભારત' દ્વારા કહેવાયેલી વાત જ વધુ વ્યવહારુ રીતે કૌટિલ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy